રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ ને મળીને આપ્યુ રાજીનામું

ઉત્તર પ્રદેશમાં ભાજપની ઐતિહાસીક જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ કેબિનેટ મંત્રીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આ પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેબિનેટ મંત્રી બૃજેશ પાઠક, મંત્રી લાલજી ટંડન અને મંત્રી અનિલ રાજભર પહોચ્યા હતા.

બેઠક બાદ સીએમ યોગી આદિત્યનાથ રાજભવન પહોચ્યા હતા જ્યા તેમણે મહાત્મા ગાંધીની મૂર્તિ પર ફૂલ અર્પણ કર્યા બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજીનામું સોપ્યુ હતુ. આ સાથે જ આગામી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની 403 બેઠકમાંથી 273 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગોરખપુર બેઠક પરથી એક લાખ કરતા વધુ મતથી જીત્યા હતા.

15 માર્ચે શપથ લઇ શકે છે યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 37 વર્ષ પછી ઇતિહાસ રચી દીધો છે. ઉત્તર પ્રદેશમાં 1985 બાદ ભાજપ બીજી એવી પાર્ટી છે જે સત્તામાં વાપસી કરી રહી છે. ભાજપ અને તેના સહયોગી દળોએ 403માંથી 273 બેઠક જીતી છે. 2017ના મુકાબલે ભલે ભાજપ તથા સહયોગી દળોને 55 બેઠકનું  નુકસાન થઇ રહ્યુ હોય પરંતુ પાર્ટી સતત બીજી વખત સત્તા પર બેસવા જઇ રહી છે. ભાજપે 255, અપના દળે 12 તથા નિષાદ પાર્ટીએ છ બેઠક જીતી છે. હવે ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજભવનમાં ઉત્તર પ્રદેશની નવી સરકારને શપથ અપાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશની નવી સરકારનો શપથ સમારંભ 15 માર્ચે યોજાવાની સંભાવના છે. 15 માર્ચે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારનો કાર્યકાળ પણ સમાપ્ત થઇ રહ્યો છે. નવી સરકારના શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરના પણ સામલે થવાનો કાર્યક્રમ બની રહ્યો છે. યોગી આદિત્યનાથ કેબિનેટના કેટલાક અન્ય સહયોગીઓ સાથે હોળી પહેલા 15 માર્ચે પદ અને ગોપનીયતાના શપથ લઇ શકે છે.

Related Posts