૮ માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આર્થિક, સામાજિક, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓને સમર્પિત છે. આ દિવસ સ્ત્રી- પુરુષની સમાનતાને વેગ આપવામાં માટે ઉજવવામાં આવે છે. આ દિન નિમિતે ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજુલા, અમરેલી અને સાવરકુંડલાના જુદા-જુદા વિસ્તારોમાં સંગઠન કે ઉંચા પદ પર હોય તેવા મહિલાઓને બદલે જે મહિલાઓ સફાઈ કામ, શાકભાજી વહેંચવું અને અન્ય મજૂરી કામ કરતી મહિલાઓનું ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ બહેનોને સાડીઓ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાબેન ગોહિલ, માધવીબેન હરિયાણી, જાગૃતિબેન વાઘેલા, પારુલબેન, જાનવીબેન શિયાળે કામગીરી કરી હતી. એમ રવિ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલાઓને સાડી આપી સન્માનિત કરવામાં આવ્યા

Recent Comments