ગુજરાત

ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં હાર્દિક પટેલને કોઈ રાહત ના મળીકાયદો વ્યવસ્થા ન જાળવતાને રાહત ન આપી શકાયઃ કોર્ટ

પાટીદાર આંદોલનનો ચહેરો અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ કેસમાં તમામ દલીલોને અંતે ર્નિણય આપ્યો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. જાેકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે મૌખિક હુકમ આપ્યો છે. આ ઘટના પાટીદાર આંદોલન સમયે નિકોલમાં સમગ્ર કેસ નોંધાયો હતો.

આ કેસમાંથી મુક્ત થવા માટે હાર્દિક પટેલે અરજી કરી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮માં હાર્દિક પટેલ સહિત કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ થઇ હતી. આ કેસનો આજે કોર્ટમાં ચુકાદો હતો. જેમાં કોર્ટે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થા ન જાળવતાને રાહત ન આપી શકાય. આ સાથે જ પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. જાેકે, હાર્દિક પટેલ સામેના અન્ય કેસોમાં જ રાહત આપવામાં આવી હતી. તેની સાથે આ પણ એક કેસ હતો. જેમાં મુક્તિ માટે હાર્દિક પટેલે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અત્યારે કોર્ટે મૌખિક હુકમ કર્યો છે. જાે કે હાલની સ્થિતિએ હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત મળી નથી.

Related Posts