ભાવનગર

ઉમરાળા મામલતદાર કચેરી ખાતે ૨૧ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ઉમરાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૧/૦૮/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉમરાળા ,મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોના નિકાલ કરવા માટે રાખવામાં આવે છે.આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવી છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી,ઉમરાળાને અગાઉ જે તે કચેરીને કરેલ અરજી તથા અન્ય પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્રો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે.સામૂહિક રજૂઆત કરી શકશે નહીં.તેમ, મામલતદારશ્રી,ઉમરાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts