એક્ટિવિસ્ટ નવદીપ કૌરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે ૧૨ જાન્યુઆરીથી કરનાલ જેલમાં બંધ હતી, તેની સામે ૩ એફઆઈઆર નોંધાઈ હતી, તેમાંથી બેમાં પહેલાથી જામીન મેળવી ચૂક્યા છે, તેથી હવે તેમના માટે બહારનો રસ્તો સાફ થઇ ગયો છે. અગાઉ, કૌર, જે પંજાબના મુકતસર જિલ્લાની છે, તેણે હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજીમાં આરોપ લગાવ્યો હતો કે સોનીપત પોલીસે તેને ગયા મહિને ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો.
૨૩ વર્ષીય કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે કાયદાનું ઉલ્લંઘન કરીને તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાયો નથી. કૌરને ૧૨ જાન્યુઆરીએ હરિયાણાના સોનેપતમાં એક કંપનીને ઘેરી લેવા અને તેની પાસેથી પૈસાની માંગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ડીએસપીએ કહ્યું હતું કે નવદીપ કૌરે કંપનીને ઘેરી લેતા ટોળાને ઉશ્કેર્યા હતા, ત્યારબાદ ટોળાએ કંપનીને મુક્ત કરવા જઇ રહેલા પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા સહિત સાત પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.
આટલું જ નહીં, હરિયાણા પોલીસે કૌરના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે. હરિયાણા પંજાબ હાઇકોર્ટમાં સુપરત કરાયેલ સ્ટેટસ રિપોર્ટમાં હરિયાણા પોલીસે કહ્યું છે કે કેટલાક સોશ્યલ મીડિયા ફોરમ દ્વારા ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે કૌરને ખોટી રીતે ફસાવી દેવામાં આવી હતી અને મનસ્વી રીતે અટકાયત કરવામાં આવી હતી, જે એક ઘોર ગેરવર્તન છે.
Recent Comments