રાષ્ટ્રીય

એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટનો મોટો ર્નિણય૨૬ અઠવાડિયાના ગર્ભના, એબોર્શનની મંજૂરી નહી

સુપ્રીમ કોર્ટે ૨૬ અઠવાડિયામાં ગર્ભધારણ સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. ગર્ભવતી મહિલાએ તેના પેટમાં ઉછરી રહેલા ગર્ભનો નિકાલ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ ર્નિણય સંભળાવ્યો હતો. અગાઉ કોર્ટે કહ્યું હતું કે, અમે જીવનનો અંત ના લઈ શકીએ. કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે બાળકની સ્થિતિ સંપૂર્ણપણે સારી છે અને ગર્ભસ્થ બાળકનો જન્મ થવો જાેઈએ. જાે મહિલા બાળકને રાખવા માંગતી નથી, તો તે પોતાનુ નવજાત, સરકારને સોંપી શકે છે અને સરકાર તેની સારસંભાળ લેશે.

ખંડપીઠે કહ્યું કે ગર્ભ ૨૬ અઠવાડિયા ૫ દિવસનો છે. માતા અને બાળક માટે કોઈ જાેખમ નથી. ગર્ભનો વિકાસ એકદમ સામાન્ય છે. તેથી ગર્ભસ્થ બાળકને જન્મ લેવા દેવો જાેઈએ. આ પહેલા કોર્ટે એઈમ્સના રિપોર્ટ પર વિચાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાની તબિયત સામાન્ય છે. તે બાળકના જન્મ પછી તેની સંભાળ રાખવાની સ્થિતિમાં છે. હોસ્પિટલે કહ્યું કે મહિલા અને તેના ગર્ભસ્થ બાળકની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. બંનેમાં કોઈ ઉણપ નથી અને ગર્ભનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે. છૈંૈંસ્જીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘એવું જાણવા મળ્યું છે કે મહિલા અને તેના ગર્ભની સ્થિતિ સારી છે.

તેમને યોગ્ય તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. બંનેની હાલત સારી છે અને બાળકના જન્મ પછી પણ કોઈ સમસ્યા નહીં થાય. જાે કોઈ સમસ્યા ઉભી થાય તો મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. છૈંૈંસ્જીના રિપોર્ટ બાદ, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, જાે મહિલા બાળકને પોતાની પાસે રાખવા માંગતી ના હોય તો બાળકના જન્મ પછી નવજાતને સરકારને સોંપી શકે છે. વાસ્તવમાં મહિલાએ કહ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને તે ઘણી બીમારીઓથી પીડિત છે.

આવી સ્થિતિમાં, તે બાળક પેદા કરવાની સ્થિતિમાં નથી અને તેને ૨૬ અઠવાડિયામાં ભ્રૂણનો ગર્ભપાત કરવાની મંજૂરી આપવી જાેઈએ. વાસ્તવમાં, ભારતીય કાયદા અનુસાર, ૨૪ અઠવાડિયાથી વધુ સમયના ગર્ભનો ગર્ભપાત થઈ શકતો નથી. આ માટે ડોક્ટરો અને સંબંધિત લોકોની કાયદાકીય મંજૂરી પછી જ ગર્ભપાત અંગેનો ર્નિણય લઈ શકે છે. બે સભ્યોની બેંચ ૧૧ ઓક્ટોબરે આ મામલામાં ર્નિણય પર સર્વસંમતિ પર પહોંચી શકી ન હતી. તેનું કારણ એ હતું કે બંને જજાેના મંતવ્યો અલગ-અલગ હતા. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે ન્યાયનો અંતરાત્મા એવું નથી કહેતો કે ભ્રૂણનો ગર્ભપાત કરવો જાેઈએ. આપણને જીવનનો અંત લાવવાનો અધિકાર નથી. જસ્ટિસ બીવી નાગરથનાએ કહ્યું કે, મહિલાને પોતાના શરીર પર અધિકાર છે. ગર્ભ તેના શરીરથી અલગ જાેઈ શકાતો નથી. સ્ત્રીના શરીરમાં વધતો ભ્રૂણ પણ તેનો જ છે. આ રીતે, જ્યારે બે ન્યાયાધીશોની ખંડપીઠમાં ર્નિણય ના આવ્યો, ત્યારે મામલો ત્રણ સભ્યોની બેંચને મોકલવામાં આવ્યો હતો. ત્રણ સભ્યોની બેંચ તરફથી હવે ગર્ભ ગર્ભપાત ના કરવાના પક્ષમાં ર્નિણય આવ્યો છે.

Related Posts