ભાવનગર

એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની CSR એક્ટિવિટી અંતર્ગત ૧૨૦ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ

ભાવનગર  એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ઘોઘા વિસ્તારના ભૂતેશ્ચર ગામનાં ૧૨૦  વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ . ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા  શિશુવિહાર ના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિર માં ડોકટર અરવિંદ ભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ  કરી દવા તેમજ  શ્રી રેખાબહેન ભટ્ટ એ  બાળકોના લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને શ્રી અંકિતાબહેન ભટ્ટ એ કૅરેટોમીટરથી  આંખ તપાસ બાદ ચશ્મા નું વિતરણ કરેલ હતું.

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘોઘા ભાલ વિસ્તારના ૮ ગામડા ઓની ૧૨ થી વધુ શાળા ઓમાં ૧૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ ના લક્ષાંક ને સાર્થક કરવા શિશુવિહાર ટીમ ના ચીફ કોર્ડીંનેટર શ્રી હીના બહેન ભટ્ટ તથા એગ્રોસેલ ના CSR  સંયોજક શ્રી વિશાલભાઈ  મિશ્રાના સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્ય ની કાળજી લઈ રહ્યા છે જે  નોંધનીય બને છે.     

Related Posts