ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર . આંગણવાડી ધટક 1 આનંદનગર કેન્દ્ર નં -35 અને 54 નાં 40 બાળકો અને 2 શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી પારેખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ બસમાં બાળકોને સંસ્થા પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં,અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, રંગપુરણી, મોતીનીમાળા અને સમૂહજીવનમૂલક મેદાની રમતની તાલીમ આપવામાં આવી 200 દિવસ માટેની તાલીમના *છઠ્ઠા દિવસે ઉપસ્થિત બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો… શિક્ષણવિદ્દ શ્રી નલીનભાઇ પંડિત ઉપસ્થિત રહ્યા હતા.એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના વિશેષ સહકાર થી સવારનાં 9:30 થી 12 સુધી ની તાલીમ નું સંકલન શ્રી પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું…
એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના વિશેષ સહકાર થી જીવન શિક્ષણ તાલીમ સંપન્ન

Recent Comments