લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ પછી, ઈડ્ઢએ કેજરીવાલને જલ બોર્ડ સાથે સંબંધિત એક કેસમાં પણ સમન્સ મોકલ્યું હતું. જે મુજબ તેણે સોમવારે ૧૮ માર્ચે ઈડ્ઢ સમક્ષ હાજર થવાનું છે. પરંતુ કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી જલ બોર્ડ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫૦ હેઠળ કેજરીવાલને સમન્સ જારી કર્યા હતા.
ઈડ્ઢ દિલ્હી જલ બોર્ડમાં ગુનાની કથિત રકમના ગેરકાયદેસર ટેન્ડરિંગ અને લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ અંગે સીએમ કેજરીવાલની પૂછપરછ થવાની હતી. જેના માટે તેમને ઈડ્ઢ સમક્ષ હાજર થવું પડ્યું હતું પરંતુ કેજરીવાલે જવાની ના પાડી દીધી હતી.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જ્યારે કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળી ગયા છે તો પછી ઈડ્ઢ શા માટે તેમને વારંવાર સમન્સ મોકલી રહી છે. પાર્ટીનું કહેવું છે કે ઈડ્ઢના સમન્સ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવાનો છે.
પાર્ટીનું એમ પણ કહેવું છે કે ઈડ્ઢ ભાજપના નિર્દેશો પર કામ કરી રહી છે. ઈડ્ઢ તરફથી સમન્સ મળ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે ઝ્રમ્ૈં અને ઈડ્ઢ મોદીજીના ગુંડા બની ગયા છે. અને આ ગુંડાઓ વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. આતિશીએ કહ્યું કે ઝ્રમ્ૈં અને ઈડ્ઢ મોદીજીના ગુંડા બની ગયા છે. મોદીજીના આ ગુંડાઓ એક પછી એક વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે ભાજપ શા માટે ઈડ્ઢની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે. તે ચૂંટણી પહેલા દિલ્હીના સીએમની ધરપકડ કરવા માંગે છે.
Recent Comments