રાષ્ટ્રીય

એરપોર્ટ જેવુ દેખાતું દેશનું પ્રથમ વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશન ભોપાલ

દેશના પહેલુ વર્લ્‌ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે રાની કમલાપતિની અંદર એર કૉનકોર્સ એરપોર્ટની જેમ બનેલો જાેવા મળી રહ્યો છે. આ નવા ભારતનુ નવુ રેલવે સ્ટેશન છે જ્યાં દરેક તે સુવિધા આપવામાં આવી છે, જે કોઈ એરપોર્ટ પર મળે છે. તસવીરમાં જાેવા મળી રહેલા આ એર કૉનકોર્સ ૮૪ મીટર લાંબો ૩૬ મીટર પહોળો છે. જેમાં મુસાફર ભીડથી બચતા અંદર જઈ શકશે. રાની કમલાપતિ સ્ટેશનની આ એર કૉન્કોર્સમાં ૯૦૦ મુસાફર બેસી શકે છે.મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશન એકદમ એરપોર્ટ જેવુ દેખાય છે. આ રેલવે સ્ટેશન હવે બનીને સમગ્ર રીતે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૫ નવેમ્બરે આનુ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે. રાની કમલાપતિ સ્ટેશનને સમગ્ર રીતે રી-ડેવલપ કરવામાં આવ્યુ છે. આ સ્ટેશનમાં એક એર કૉન્કોર્સ છે, જેમાં એરપોર્ટની જેમ દુકાન અને કૈફેટેરિયા છે.

રાની કમલાપતિ સ્ટેશનમાં ૯૦૦ મુસાફર એર કૉન્કોરમાં બેસી શકે છે. એક સાથે એક પ્લેટફોર્મ પર ૨૦૦૦ હજાર મુસાફર ટ્રેનોની રાહ જાેઈ શકે છે. આ સિવાય બે સબ-વે બનાવાયા છે. એક સાથે ૧૫૦૦ મુસાફર આ અંડરગ્રાઉન્ડ સબ-વે થી પસાર થઈ શકશે. આ સ્ટેશન પર એરપોર્ટ જેવી તમામ લગ્ઝરી સુવિધાઓ મળશે. આ અન્ય ભારતીય રેલવે સ્ટેશનની ભીડભાડથી અલગ અને એકદમ અલગ વર્લ્‌ડ ક્લાસ સ્ટેશન છે. રાની કમલાપતિ સ્ટેશન દેશનુ પહેલુ સ્ટેશન છે, જેમાં અહીંથી જનાર અને આવનાર મુસાફરને અલગ-અલગ રસ્તા મળશે. જેમને રાની કમલાપતિથી ટ્રેન પકડવાની છે તે એર કૉન્કોર દ્વારા પ્લેટફોર્મ પર થતા ટ્રેન સુધી પહોંચશે જ્યારે અહીં ઉતરીને બહાર જનાર મુસાફર સબ-વે નો ઉપયોગ કરતા રેલવે સ્ટેશનથી બહાર નીકળી જશે. દેશમાં પહેલીવાર અહીં ૩૬ ફૂટ પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનાથી લોકો સરળતાથી પસાર થઈ શકશે. લગભગ ૪૫૦ કરોડ રુપિયામાં બનેલા આ રેલવે સ્ટેશનમાં એરપોર્ટની જેમ જ વર્લ્‌ડ ક્લાસની સુવિધાઓ મળશે.

Related Posts