અમરેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ગતિવિધિ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત અમરેલી સ્થિત મુક બધિર સંસ્થા ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સૌરભભાઇ મકવાણા કૌશિકભાઈ વેકરીયા મૌલિકભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ શેખવા, ભાવેશભાઈ સોઢા, સંજયભાઈ વણજારા, કમલેશભાઈ મહેતા, રઘુભાઈ ત્રિવેદી તેમજ પ્રો.જયંતીભાઈ તળાવિયા, દર્શભાઈ જોશી આકાશભાઇ ગણાત્રા, જિતભાઈ કાબરિયા અને સમગ્ર અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આમરેલી નગરની ટીમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત રાસ ગરબા આયોજનમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
એ.બી.વી.પી. – અમરેલી દ્વારા રસ – ગરબાનું આયોજન

Recent Comments