દામનગર ના શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે દલિત પરિવારને મળતી ગુજરાત સરકાર તરફથી કન્યા અને કુમારને મળતી શિષ્યવૃતિના ફોર્મમાં સરપંચ ના સહી સિક્કા કરાવવા માટે ગ્રામ પંચાયત કચેરીએ દલિત બાળકોના વાલીઓને રૂબરૂ ના આવવું પડે તે માટે શાખપુર કુમાર શાળા ને શાખપુર કન્યાશાળાએ સરપંચ જસુભાઇ ખુમાણ રૂબરૂ જઈને તમામ દલિત પરિવારના બાળકોના શિષ્યવૃત્તિના ફોર્મમાં સહી સિક્કા કરી આપ્યા હતા જેથી દલિત પરિવારમાં ખેત મજૂરી કરતા અને નોકરી ધંધે જતા યુવાનોને ગ્રામ પંચાયતે સરપંચની લેવાનું ન આવવું પડે તેઓ નવતર અભિગમ અપનાવી જે માટે શાખપુર કુમાર શાળા ના આચાર્ય નીતાબેન મેશિયા અને ચેતનભાઇ પટેલ શાખપુર કન્યાશાળાના આચાર્ય ઇલાબેન મેર અને જોશી દ્વારા સુંદર રીતે જહેમત ઉઠાવી દલિત પરિવારના કોઈ પણ વાલીને તકલીફ ન પડે અને શિષ્યવૃત્તિથી વંચિત ન રહી જાય તે માટે સરપંચ રૂબરૂ શાળાની અંદર જઈને તમામ ફોર્મ ક્લિયર કરી આપ્યા હતા તેથી સૌ ગ્રામજનો દ્વારા સરપંચ જસુભાઇ ખુમાણ ને કામગીરી બિરદાવીને ઓનલાઇન સરપંચ તરીકે ઓળખવામાં આવે છે
ઓનલાઈન તરીકે ની ઓળખ ધરાવતા જાગૃત સરપંચ ની ગરીબો પ્રત્યે હમદર્દી વિદ્યાર્થી ના શિષ્યવૃતિના ફોર્મમાં સ્કૂલ માં જાતે આવી સહી સિક્કા કરતા સરપંચ ખુમાણ


















Recent Comments