ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર લેબમાં જાન્યુઆરીમાં જીનોમ્સ માટે આવેલા કુલ સેમ્પલમાં માત્ર ચાર ડેલ્ટા (બી.૧.૬૧૭.૨) જાેવા મળ્યા હતાં જ્યારે ૯૫ કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જાેવા મળ્યા હતાં. ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ બીએ.૨ના ૩૮ અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટ બી.૧.૧.૫૨૯ના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના ૪૧ પરિણામો સામે આવ્યા હતા.
ઓમિક્રોન વાયરસ માટે વિશ્વ આખાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ કહ્યું છે કે, આ વાયરસ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની તુલનામાં ઓછો જાેખમી છે, પરંતુ તેનો ફેલાવો ઝડપથી થાય છે. જાેકે હવે લોકોમાં ઓમિક્રોનનો સબ લિનિયેજ વેરિયન્ટ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે આ કેટલો જાેખમી છે તે બાબતે વિશ્વના સંશોધકો તપાસ કરી રહ્યાં છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર લેબના સંયુક્ત નિયામક ડૉ. માધવી જાેષીએ કહ્યું કે, બીએ.૧ની સરખામણીએ બીએ.૨ લિનિયેજ વેરિયન્ટ ગુજરાત સહિત દેશમાં વધી રહ્યો છે. આ વેરિયન્ટના જાેખમ વિશે સંશોધનો ચાલી રહ્યાં છે. અઠવાડિયા બાદ તેના જાેખમ વિશેનો ખ્યાલ આવી શકશે. રાજ્યના વધુ એક સંશોધકે કહ્યું છે કે, ડબ્લ્યુએચઓએ હજૂ બીએ.૨ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કર્યો નથી.
જાેકે યુ.કે. હેલ્થ સિક્યુરિટી એજન્સીએ બીએ.૨ વેરિયન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી તકેદારી રાખવા કહ્યું છે જ્યારે ગુજરાતમાં બીએ.૨ના હજૂ ઘણા ઓછા કેસ જાેવા મળ્યા હોવાથી નક્કર સ્ટેટમેન્ટ આપી ના શકાય.કોરોનાના અત્યંત જાેખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે જ. જ્યારે હવે ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ-લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે છેલ્લા ૨૩ દિવસમાં કુલ ૧૧૯ સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી જેમાં સૌથી વધુ ૫૪ ઓમિક્રોન (બીએ.૧) જાેવા મળ્યા હતા.
Recent Comments