સોમવારે બજારમાં ઓમિક્રોનની અસર જાેવા મળી હતી જેમાં મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ઉપરોક્ત પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૧૦૦૦ પોઇન્ટથી વધુ તૂટી ૫૬૬૮૭ સુધી પટકાયા બાદ કામકાજના અંતે ૯૪૯.૩૨ પોઇન્ટ ઘટી ૫૬૭૪૭.૧૪ની સપાટીએ નરમ રહ્યો હતો એનએસઈ ખાતે પણ વેચવાલીના ભારે દબાણે નિફ્ટી ઇન્ટ્રા-ડે ૧૭૦૦૦ની સપાટી ગુમાવી ૧૬૮૯૧ સુધી પટકાયા બાદ કામકાજના અંતે ૨૮૪.૪૫ પોઇન્ટ તૂટી ૧૬૯૧૨.૨૫ની સપાટીએ નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૪.૩૦ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂા. ૨૫૬.૭૨ લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂા. ૩૩૬૧ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. છેલ્લા ૧૨ દિવસમાં તેઓએ કુલ રૂા. ૪૪૩૬૫ કરોડની વેચવાલી હાથ ધરાઈ છે. નિફ્ટી તેના ૧૬૯૦૦ના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન નજીક પહોંચ્યો છે. જાે આ સપાટી જળવાશે તો પુલબેક રેલી જાેવા મળશે. નિફ્ટી જાે આ સપાટી ગુમાવશે તો ૧૬૮૦૦/ ૧૬૭૦૦નું લેવલ જાેવા મળશે. જે મહત્ત્વની ટેકાની સપાટી છે.ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરતા વૈશ્વિક વૃદ્ધિ પુનઃ રૂંધાવાની દહેશત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેેચવાલીના દબાણ પાછળ આજે બીએસઇ સેન્સેકસ્માં ૯૪૯ અને એનએસઇ નિફ્ટીમાં ૨૮૪ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂા. ૪.૩૦ લાખ કરોડનું ધોવાણ થયું હતું. ઓમિક્રોનના સતત વધતા કેસની બીજી તરફ ઊંચા ફુગાવા તેમજ યુએસ ફેડરલ દ્વારા બોન્ડ બાઇંગ પ્રક્રિયા પર બ્રેક મારવાના સંકેતોની બજાર પર પ્રતિકૂળ અસર હતી. આ ઉપરાંત ચીનનું અર્થતંત્ર મંદ પડતા ચાઇનીઝ સેન્ટ્રલ બેંકે રિઝર્વ રેશિયોમાં ઘટાડો કર્યાના અહેવાલોની પણ બજાર પર અસર જાેવા મળી હતી.
ઓમિક્રોનની અસર શેરમાર્કેટ પર પણ પડી

Recent Comments