અમરેલી

કતારથી મોદી સરકારની મધ્યસ્થી દ્વારા આઠ પૂર્વ નેવી અધિકારીનો નિર્દોષ છુટકારો થતાં.

 અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ તમામને આવકારી હાર્દિક શુભકામનાઓ પાઠવી સાથે સાથે મોદી સરકારની ડિપ્લોમસી અને દુરંદેશી તથા કૂનેહના ભારોભાર વખાણ કર્યા.આ છે મોદી સરકારની તાકાત એટલે જ કહેવાય છે કે  મોદી હૈ તો મુમકીન હૈ.. કતારમાં ભારતના આઠ પુર્વ નેવી અધિકારીને પકડી જાસુસીના ખોટા કેસમાં ફસાવીને ફાંસીની સજા ફટકારી દીધી હતી અને પછી મોદી સરકારની મધ્યસ્થીથી તેમની ફાંસીની સજા  પહેલા આજીવન કેદ અને પછી હવે સાવ નિર્દોષ છુટકારો શકય બન્યો.

આવું તો ભાગ્યે જ બને આ સંદર્ભે ભારત સરકારના વિદેશમંત્રીની ડિપ્લોમસી અને ખુદ વડાપ્રધાન મોદી સાહેબની કૂનેહ કામ કરી ગઈ હોય એવું લાગે છે. આ ઘટના ખરેખર અસાધારણ ઘટના લેખે ભારતીય ઇતિહાસમાં અંકાઈ જશે. એક વાત હવે સ્પષ્ટ છે કે મોદી હૈ તો મુમકીન હૈ… મોદી સરકારની આ કૂનેહ અને ડિપ્લોમસીની અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ આવકારી અને મુક્ત થઈને સ્વદેશ પરત ફરતાં તમામને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતાં… આમ સુરેશ પાનસુરીયાના શબ્દોમાં મોદી હૈ તો મુમકીન હૈ એ વાતને વધુ બળ પ્રાપ્ત થયું. આ ઘટનાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી જે મોદી સરકારની કૂટનીતિનું  શ્રેષ્ઠતમ સોપાન ગણી શકાય.

Related Posts