અમરેલી જિલ્લામાં આગામી તા.ર૩ થી તા.રપ જૂન-ર૦રર દરમિયાન શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનું આયોજન
અમરેલી તા.૨૧ જૂન, ૨૦૨૨ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં વર્ષ-ર૦૦૩થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા અભિયાનશરૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા આગામી તા.ર૩ થી તા.રપ જૂન-ર૦રર દરમિયાન યોજાશે. રાજ્ય સરકારના મંત્રીમંડળથી લઈને તમામ અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રઓ સાથે પ્રત્યેક જિલ્લામાં જઈને આ કાર્યને સુચારું રીતે પાર પાડવામાં આવશે. અમરેલી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં ૬,૯૮૧ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે પૈકી કુલ ૨,૭૦૪ બાળકોને ગ્રામ્યમાં અને ૧,૬૯૫ બાળકોને નગરપાલિકામાં પ્રવેશ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવમાં રાજય, જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને રાજયકક્ષાએથી જિલ્લાના વિવિધ તાલુકાની ફાળવણી કરવામાં આવી છે. તેઓ પ્રત્યેક દિવસે જે-તે તાલુકાની કોઇ એક કલસ્ટરની ૩ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરશે. ત્રીજી શાળામાં તે કલસ્ટરની શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરશે. પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએથી શાળાઓમાં ઉપસ્થિત રહેશે.
Recent Comments