ભાવનગર

કમોસમી વરસાદનાં પગલે એ.પી.એમ.સી. ખાતે વેચાણ અર્થે આવતા ખેડૂતોનાં પાકને નુકસાની ન થાય તે અંગે તકેદારી રાખવા માર્ગદર્શિકા બહાર પડાઇ

આઈ.એમ.ડી., અમદાવાદનાં બુલેટીનથી મળેલ સુચના મુજબ તા.૨૪/૧૧/૨૦૨૩ થી તા.૨૭/૧૧/૨૦૨૩ દરમ્યાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય, અત્રેનાં જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકશાન ન થાય તેમજ આવા કૃષિ પાકોનાં પરિવહન દરમ્યાન પણ વરસાદને કારણે નુકશાન ન થાય તે માટે આવતા દિવસોમાં જે ખેડુતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈ આવે તેને બંધ બોડીનાં વાહનમાં અથવા તો તાડપત્રી ઢાકીને જ લાવે તેવી ખેડુતોને સત્વરે સુચના કરવા અને વેચાણનાં સ્થળે રાખેલો જથ્થો પણ ન પલળે તે માટે APMC માં જરૂરી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત તાલુકા કક્ષાનાં APMC માં પણ સત્વરે જરૂરી સુચના આપવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related Posts