અમરેલી

કમોસમી વરસાદના લીધે ઈટુંના ભઠ્ઠાઓને નુકશાન થયેલ જેનો સર્વે કરી ત્વરીત સહાય ચુકવવાની માંગ કરતા : પરેશ ધાનાણી

છેલ્લા ૧૦ થી ૧પ દિવસથી માવઠારૂપી વરસાદ જુદી–જુદી જગ્યાએ પડી રહયો છે, જેને લીધે પ્રજાપતિ સમાજને ઈંટુના ભઠ્ઠાઓને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, પ્રજાપતિ સમાજ આખુ વર્ષ ઈટું બનાવી પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય છે, આથી ત્વરીત રાજય સરકાર ઈંટુંના ભઠ્ઠાઓને નુકશાનીનો સર્વે કરી સહાય ચુકવવાની માંગ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.

Related Posts