સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલી શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં ગામના વતની અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ગીરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી બાળકોને ફુલસ્કેપ નોટબૂકોનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી ગીરીશભાઇ છેલ્લા ૧૧ વર્ષથી શાળામા નોટબુકો આપીને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું એક ઉમદા કાર્ય કરે છે. આ સિવાય શાળાના બાળકોને અવાર-નવાર ઇનામ , શીલ્ડ તેમજ શાળાને જરૂરી વસ્તુઓ આપીને પોતાના વતનનું ઋણ અદા કરે છે. બાળકોને રાજી કરનાર શ્રી ગીરીશભાઈ સાવલિયા ઉપર શેલકાંઠા હનુમાનજી મહારાજની કૃપા અવિરત રહે તેવી શાળા પરિવાર તરફથી પ્રાર્થના સહ શુભેચ્છા સાથે આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ.
કરજાળા ગામના નાગજીભાઈ સાવલિયાએ શાળાની મુલાકાત લઈને શાળાના બાળકોને ફુલસ્કેપ નોટબૂકોનું વિતરણ કરવામાં આવ્યું

Recent Comments