કરોડો ની ખનીજ ચોરી કરનાર અને ડૂબલિકેટ રોયલ્ટી પાસમાં પકડાયેલ આરોપી સામે SIT ની રચના કરવા બાબતે મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારિઓ ને પત્રપાઠવતા પુર્વ- ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત.
અમરેલી જિલ્લા માં શેત્રુજી નદી માંથી આજીબાજુના વિસ્તારોમાં થી ખનીજ માફિયાઓ દ્વારા અનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે, જેમાં ભૌતિકભાઈ નરેશભાઇ વાણીયા દ્વારા ખોટા પાસ બનાવી સરકારશ્રી સાથે છેતરપીંડી કરીને ખનીજ ચોરી કરવામાં આવેલ છે, આ વ્યક્તિ ઘણા સમયથી શેત્રુંજી નદી માંથી રેતી ઉપડતો અને સ્ટોક પરમિશન સ્ટોક કરતો અને અન્ય જિલ્લાની રોયલ્ટી પાસ જમા કરાવી સ્ટોક ના પાસ લઈ ને સરકાર સાથે ઘણા સમયથી છેતરપીંડી કરતો હતો અને અધિકારીઓ સાથેની સાંઠગાંઠ ના આધારે અમરેલી પોલિસ દ્વારા ડુબલીકેટ પાસ બનાવેલ અને તંત્ર ને ગેરમાર્ગે દોરે છે.
સરકાર શ્રી દ્વારા ઇકોઝોન વિસ્તાર જાહેર કરેલ છે,તેમા પાબંધિ હોવા છતાં ઇકોઝોન વિસ્તાર માથી આવા વ્યક્તિઓ દ્વારા બેફામ ભુમાફિયાઓ તરફ્થી ખોટા રોયલ્ટી પાસ તેમજ અનઅધિકૃત રીતે કરોડોની ખનીજ ચોરી કરવામાં આવેલ . આ બાબતે પુર્વ- ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ગત વિધાનસભા માં અમો દ્વારા અનેક વાર રજુઆત તેમજ પત્ર વ્યવહાર કરી ને ધ્યાન દોરેલ હતુ . તેમ છતાં પણ અમરેલી જિલ્લામાં અધિકારીઓ સાથે ની સાંઠગાંઠ રચી આવુ અનઅધિકૃત કૃત્ય થઈ રહેલ છે.જેથી આવા ભુમાફિયાઓ દ્વાર સરકાર શ્રી ને નુક્શાન પહોચાડવાનુ કૃત્ય કરેલ છે. જે
થી આવા અનઅધિકૃત રીતે થઇ રહેલ ખનીજ ચોરી અટકાવવા SIT ની રચના કરી આ ઇસમ સામે વધુ તપાસ કરવામાં આવે તો કરોડોની ખાણ ખનીજ ખન્ન ચોરીના ભેદ ખુલ્લે તેમ હોય અને અંત માં આ બાબતે આમ જ્નતાને આ વિસ્તાર માથી રેતી માટે મંજુરી આપવામાં આવે જેથી લોકોને સસ્તા દરે રેતી મળી રહે
આમ પુર્વ- ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર અને આમ જ્નતા ના હિત ને ધ્યાને લઇ ને આવા બિન અધિકૃત રિતે અને બે ફામ બની ને ખનીજ નુ ખન્ન થઇ રહેલુ છે. તેમની સામે સરકાર લાલ આંખ કરી ને કામ કરે તે બાબતે મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારિઓ ને પત્ર પાઠવવામાં આવેલ છે.
Recent Comments