કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની બે મોટી જાહેર ક્ષેત્રની બેંકોને લઈને મોટો ર્નિણય લીધો છે. કર્ણાટક સરકારે તેના તમામ સરકારી વિભાગોને પંજાબ નેશનલ બેંક (ઁદ્ગમ્) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) ના ખાતામાંથી તેમના તમામ વ્યવહારો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ ર્નિણય બાદ તમામ સરકારી વિભાગોએ ઁદ્ગમ્ અને જીમ્ૈંમાં જમા કરાયેલા પૈસા પાછા લેવા પડશે.
સરકારના તમામ વિભાગોને ડિપોઝિટ અને એફડી ઉપાડવી પડશે અને એકાઉન્ટ બંધ કરવું પડશે તેવી સૂચના આપવામાં આવી છે. પબ્લિક ડોમેઈન વડે મળતી માહિતી મુજબ કર્ણાટક સરકારનો આ આદેશ રાજ્ય નાણા વિભાગના સચિવ જાફરે આપ્યો છે. આદેશ મુજબ, જીમ્ૈં અને ઁદ્ગમ્ બંને બેંકોમાં તમારા પૈસા જમા ન કરાવો અને બંને બેંકો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરો તેવું જણાવવામાં આવ્યું છે. હ્લડ્ઢ પરત ન કરીને છેતરપિંડીના બે કિસ્સાઓને કારણે રાજ્ય સરકારે જીમ્ૈં અને પંજાબ નેશનલ બેંકમાં રાખેલા તમામ નાણાં પાછા લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર વતી નાણા વિભાગે તમામ વિભાગોને આ બંને બેંકોમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારની થાપણો ન રાખવાનો પરિપત્ર જારી કર્યો છે.
Recent Comments