અમરેલી કલામ સાહેબને તેમની ઇચ્છા મુજબ શ્રદ્ધાંજલી અર્પણ કરતા કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ.
મિત્રો ૨૭ મી જુલાઇ એટલે લોકોના રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ઓફ ઇન્ડિયા અને બાળકોના પ્રિય એવા ભારતરત્ન ડો. એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથી ૨૭ જુલાઈ ૨૦૧૫ ના દિવસે iim શિલોંગ માં વિદ્યાર્થીઓ ને સંબોધિત કરતી વખતે કલામ સાહેબને હૃદયરોગ નો હુમલો આવેલો અને તેઓએ આપણા વચ્ચેથી વિદાય લિધી અને તેમની અંતિમ ઇચ્છા હતીકે જો તમે મને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા ઇચ્છતાહો તો મારા જન્મદિવસ પર કે નિર્વાણ દિવસપર રજા ના રાખતા અને તમે દરરોજ જેટલું કાર્ય કરોછો તેના કરતાં એક કલાક વધારે કાર્ય કરી અને દેશહિત માં તમારું યોગદાન આપશો મારા માટે આજ સાચી શ્રદ્ધાંજલી હસે
કલામ સાહેબની ઇચ્છા પ્રમાણે કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ દ્વારા રોજ કરતા એક કલાક વધારે કાર્ય કરી અને વિદ્યાર્થીઓ દ્વારા અમરેલી, ઇશ્વરીયા, વરસડા, મતિરાળા ના નગરજનોની વ્યક્તિગત મુલાકાત લેવામાં આવી તેમને કલામ સાહેબની ઇચ્છા મુજબ રોજ કરતા એક કલાક વધારે કાર્ય કરી કલામ સાહેબને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા અને લોકોએ પણ કલામ સાહેબને યાદ કરી અને તેમને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવાની કલામ કેમ્પસના વિધાર્થીઓની આ અનોખી પહેલને બિરદાવી હતી. સામાજિક, રાજકીય, શૈક્ષણીક, આગેવાનો અને વેપારીઓ ને વિદ્યાર્થીઓ દ્વારા કલામ સાહેબની દસસૂત્રી પ્રતિજ્ઞાની પત્રિકા અર્પણ કરવામાં આવી હતી અને આ પત્રિકાને સ્વીકારતા વિદ્યાર્થીઓને આ નવીનત્તમ પહેલ માટે તેમના દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીશ્રી ઠાકરશીભાઈ મેતલીયા દ્વારા પણ પોતે એક કલાક વધારે કાર્ય કરી કલામ સહેબની ઇચ્છા મુજબની શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રતિબદ્ધતા બતાવવામાં આવી અને તેમણે ઉમેર્યું કે અમારી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સંવેદના અને આધુનિક શિક્ષણના પાઠ પણ શીખી રહ્યાછે તે જાણી મનેતો આનંદ થાયછે પરંતું કલામ સાહેબનો દિવ્ય આત્મા પણ તમારી આ અનોખી શ્રદ્ધાંજલીથી ચોક્કસ પણે રાજી થશે. આમ કલામ કેમ્પસના બાળકો દ્વારા કલામ સાહેબને ખરા અર્થમાં સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
Recent Comments