રાષ્ટ્રીય

કાળઝાળ ગરમીમાં આ સમયે પીવો લીંબુ પાણી, લૂ પણ નહિં લાગે અને સાથે થશે આ ફાયદાઓ પણ

માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. આ ગરમીમાં અનેક લોકોને ચક્કર, ડિહાડ્રેશન જેવી સમસ્યાઓ થતી હોય છે. આમ, જો તમે આ ગરમીમાંથી રાહત મેળવવા માટે લીંબુ પાણી પીવો છો તો તમારા માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં વિટામીન સી, બી કોમ્પ્લેક્સ વિટામીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી રહે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ ઉનાળામાં લીંબુ પાણી પીવાના ફાયદા…

ક્યારે પીવું જોઇએ લીંબુ પાણી

રોજ સવારમાં ખાલી પેટે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટવા લાગે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દિવસમાં ઓછામાં ઓછું 2 વાર લીંબુ પાણી પીવું જોઇએ. આનાથી વધારે લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

  • લીંબુમાં રહેલા એન્જાઇમ્સ લિવરને ઉત્તેજિત કરીને એન્જાઇમના કાર્યોને વધારીને શરીરમાં રહેલા નકામા પદાર્થોને બહાર નિકાળવા માટે મદદ કરે છે.
  • લીંબુમાં રહેલું પેક્ટિન ફાઇબર ભુખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી તમારું શરીર ઉતરવા લાગે છે.
  • લીંબુમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોવાથી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. જેનાથી તમે કોરોના સામે લડી શકો છો.
  • જો તમે રોજ સવારે લીંબુ પાણીમાં સિંધાણું મીઠુ એડ કરીને પીવો છો પાચન ક્રિયા સારી થાય છે. આ સાથે જ તમને કબજીયાતની તકલીફ છે તો તમારે આ રીતનું પાણી ખાસ પીવું જોઇએ.
  • લીંબુ પાણી પીવાથી કિડનની પથરી નિકળી જાય છે. લીંબુ પાણી પીવાથી વારંવારં બાથરૂમ કરવા જવું પડે છે જેના કારણે પથરી નિકળવાના ચાન્સિસ વધારે છે. આમ, તમે તમારી પથરીની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
  • લીંબુમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં હોવાથી મસ્તિષ્ક સાથે જોડાયેલી અનેક તકલીફોને દૂર કરવાનું કામ કરે છે.

Related Posts