તા. ૯ જૂનના રોજ, જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ઘોડી જતા રસ્તા પર પાકિસ્તાન પોષિત આતંકવાદીઓ દ્વારા હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦ નિર્દોષ હિંદુ યાત્રીઓના મોત થયા હતા. આ ઘટના સમસ્ત દેશવાસીઓને સ્તબ્ધ કરવા વાળી છે. આતંકવાદીઓના આ જઘન્ય કૃત્ય થી સમગ્ર દેશવાસીઓ માં રોષ ફેલાયો છે. જમ્મુ-કાશ્મીર લાંબા સમયથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે ત્યારે સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં શહેરના રિધ્ધિ સિધ્ધિ નાથ મહાદેવ ચોક ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે કાર્યકર્તાઓ દ્વારા માન. રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવેલ. સાથોસાથ કેન્દ્ર સરકારે આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માટે નિર્ણાયક અને કડક પગલાં લેવા રોષ ભેર માંગણી કરવામાં આવેલ.
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -બજરંગ દળ દ્વારાઆતંકી પુતળા દહન કરી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું.

Recent Comments