રાષ્ટ્રીય

કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવેલ આતંકવાદી છ કેટેગરીમાં આવતો હતો

સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને કાશ્મીરના આતંકી સંગઠ્ઠન ટીઆરએફના પ્રમુખ બાસિત અહમત ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ડારના નેતૃત્વમાં ટીઆરએફ એ છેલ્લા પાંચ વર્ષમાં ડઝનથી વધુ લોકોની હત્યા કરી હતી. ૧૮ કેસમાં તેની શોધ ચાલી રહી હતી અને તેની પર ૧૦ લાખનું ઈનામ હતું. તેને આતંકીઓની છ કેટેગરીમાં મુકવામાં આવ્યો હતો.

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સમયાંતરે આતંકવાદી સંગઠ્ઠનો અને આતંકવાદીઓના લિસ્ટને અપડેટ કરતુ રહે છે. તેમાં અનેક શ્રેણીઓ પણ હોય છે. છ કેટેગરીમાં એ આતંકીઓ હોય છે જેનાથી દેશ અને જનતાને મોટો ખતરો હોઈ શકે છે. તેને પકડવા માટે માહિતી આપનારા માટે ઈનામ પણ નક્કી હોય ઠે. સોમવારે કાશ્મીરના કુલગામમાં આવો જ એક આતંકવાદી બાસીત હમદ ડાર માર્યો ગયો હતો. ડારે કાશમીરી પંડિતો સહિત કેટલાય પ્રવાસીઓના ડાર્ગેટ કિલીંગને અંજામ આપ્યો હતો.

કાસ્મીરમાં કેટલાય આતંકીઓ છ શ્રેણીમાં રખાયા છે. જેમાં હિજબુલ મુજાહિદીન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહંમદ અને અંસાર ગજવાત ઉલ-હિન્દના કેટલાય આતંકીઓ સામેલ છે, જેમંના પર પાછલા વર્ષોમાં દેશમાં બોમ્બ વિસ્ફોટ અથવા દંગા ભડકાવવાના કાવતરાનો હિસ્સો હોવા જેવા આપ લાગ્યા હતા. હિજબુલ મુજાહિદિનનો વોન્ટેડ આતંકી જાવેદ અહમદ મટ્ટુ પણ આ કેટેગરીનો હતો, જે વર્ષની શરૂઆતમાં પકડાઈ ગયો હતો.

આવા આતંકીઓ પર યુએપીએ અથવા પીએસએ અંતર્ગત ગુનો દાખલ થાય છે. હોમ મિનિસ્ટ્રીની વેબસાઈટ પર અલગથી કોઈ શ્રેણીનો ઉલ્લેખ નથી, પરંતુ આ આતંકીઓના નામ જરૂર છે જેમની પર યુએપીએ લાગ્યો છે. ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂનું નામ પણ લિસ્ટમાં છે. ઉપરાતં કેટલાય કાશ્મીરી અલગાવવાદીઓ પણ છે, જે ઘાટીમાં અસ્થિરતા ફેલાવે છે.

Related Posts