fbpx
રાષ્ટ્રીય

કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ અને કાશ્મીર સહિત ઘાટીના ઘણા વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં જણાવવામાં આવી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે આજે સવારે ૯ઃ૪૫ વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇસ્લામાબાદ, રાવલપિંડી અને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના અન્ય શહેરોમાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટર, ઈસ્લામાબાદ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં ૨૧૦ કિમીની ઊંડાઈએ હતું. ધરતીકંપ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ખડક અથવા પથ્થર અચાનક પૃથ્વીના પેટાળમાં તૂટી જાય છે અને ત્યાં હલનચલન થાય છે. આ દરમિયાન અચાનક ઉર્જા છૂટવાથી ધરતીકંપના મોજા ઉદ્ભવે છે અને તેના કારણે જમીન હલી જાય છે. ભૂકંપ દરમિયાન અને પછી ભૂગર્ભ ખડકો ખસે છે અને જ્યાં સુધી તેઓ ક્યાંક અટવાઈ ન જાય ત્યાં સુધી આવું થાય છે. શરૂઆતમાં જ્યાં ખડક તૂટે છે તેને ધરતીકંપનું કેન્દ્રબિંદુ અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે.

જમીન પરના કેન્દ્રબિંદુની બરાબર ઉપરના ભાગને એપીસેન્ટર કહેવામાં આવે છે.ભારતમાં આજે અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ કાશ્મીર, નોઈડા અને અન્ય વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ચોક્કસપણે ગભરાટ ફેલાયો હતો, પરંતુ હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

Follow Me:

Related Posts