અમરેલી

કિસાન મોરચા ગુજરાત ભા.જ.પ દ્વારાતા.08 ફેબ્રુઆરીથી‘’ નમો અંત્યોદય સંપર્ક અભિયાન થકી ખેત મજુરો અને શહેરી શ્રમિકોનો સંપર્ક થશે

ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખશ્રી સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ભા.જ.પ કિસાન મોરચા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી નાં અંત્યોદયનાં ધ્યેય સાથે ચાલતી ગુજરાત ભા.જ.પ સરકાર અને કેન્દ્રમાં વિશ્વના લોકપ્રિય નેતા પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈ મોદીદ્વારા જન સામાન્ય માણસ, છેવાડાનાં સેવાથી વંચિત લોકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ એ કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવી તેના જીવનમાં આવેલ પરિવર્તન બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરે છે, ત્યારે કિસાન મોરચા ગુજરાત ભા.જ.પના પ્રમુખશ્રી હિતેષભાઈ પટેલ નેતૃત્વમા તા.08ફેબ્રુઆરી થી 15 દિવસ માટે ‘’ નમો અંત્યોદય સંપર્ક  અભિયાન‘’ શરૂ થશે.

          તા.08 ફેબ્રુઆરી થીશરૂ થનારા ‘’ નમો અંત્યોદય સંપર્ક અભિયાન ’’થકી ગુજરાતનાં તમામ ગામડાઓમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવનાર ખેત મજૂરોનો સંપર્ક કરવામાં આવશે, જ્યારેશહેરી વિસ્તારમાં લાભાર્થી શ્રમિકોની મુલાકાત કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં શ્રમિકનાકાઓ, પોઈન્ટ ઉપર કિસાન મોરચા દ્વારા આ કાર્યક્રમ થશે. ગુજરાત ભા.જ.પ કિસાન મોરચાના પ્રદેશ, જિલ્લા,મહાનગર, મંડલનાં કાર્યકર્તાઓ ટીમો બનાવી  આ જન સંપર્ક અભિયાન ચલાવશે. તેમ પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી સરદારભાઈ ચૌધરી અને પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરાનીઅખબારી યાદીમા જણાવવાયુ છે.

Related Posts