અમરેલી

કુંકાવાવના સૂર્યપ્રતાપગઢ ગામે પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડાઓ નવા બનાવવાની ધારદાર રજુઆત કરતા : પરેશ ધાનાણી

ભાજપની સરકારમાં શિક્ષણ તથા શાળાઓની હાલત અત્યંત દીન પ્રતિદીન ખરાબ બનતી જાય છે, ભાજપ સરકાર માત્રને માત્ર ગુલબાંગો ફેકવા માં જ માહેર છે, કુંકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે પ્રાથમિક શાળાના ઓરડા સાવ જર્જરીત થઈ ગયેલ છે, અને ઓરડામાં સ્લેબ ઉપરથી પોપડા પડી રહયા છે, અને સ્કુલ પણ ચાલુ છે અવાર–નવાર તંત્રને રજુઆત કરવા છતાં આજદિન સુધી ઓરડા રીપેરીંગ કે નવા બનાવેલ નથી, આથી તાત્કાલીક સૂર્યપ્રતાપગઢ ગામે પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવાની ધારદાર રજુઆત અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.

Related Posts