અમરેલી

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે પીજીવીસીએલ અમરેલીના ૧૩ નિયમિતરીત  વીજબીલ ભરતા ગ્રાહકોને નાની કુંકાવાવ ખાતે સન્માનિત કરવામાં આવશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ (પીજીવીસીએલ) અમરેલી વર્તુળ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવા નિયમિત બિલ ભરતા ગ્રાહકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે આગામી તા.૧૯ મે-૨૦૨૨ને ગુરુવારના રોજ પીજીવીસીએલ અમરેલીના ૧૩ નિયમિત વીજ ગ્રાહકોને નાની કુંકાવાવ ખાતે સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે, સતત એક વર્ષ સુધી બીલ ઇસ્યુ થયાના પાંચ દિવસમાં નિયમિત રીતે બિલ ભરપાઇ કરનાર ગ્રાહકોને સન્માનિત કરી અન્ય ગ્રાહકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

Related Posts