કેનેડાના વડા પ્રધાને પોતીનો લેખ ઠ શેયર કર્યો હતો અને લખ્યું આ ઉજવણી આપણને યાદ અપાવે છે કે વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. તમામ કેનેડિયનો માટે, નવરાત્રી હિંદુ સમુદાયોના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની અને કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક માળખામાં તેમના અમૂલ્ય યોગદાનને ઓળખવાની તક પણ પૂરી પાડે છે. ભારત સાથેના રાજદ્વારી અણબનાવ વચ્ચે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રવિવારે નવરાત્રિની શુભેચ્છાઓ આપી હતી.
કેનેડાના વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું કે નવરાત્રીની શુભકામનાઓ! હું હિંદુ સમુદાયના લોકો અને આ તહેવારની ઉજવણી કરતા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું.. કેનેડાના પીએમ ટ્રૂડોએ રવિવારે જાહેર કરેલા સત્તાવાર પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આગામી નવ રાત અને ૧૦ દિવસમાં કેનેડા અને વિશ્વભરમાં હિંદુ સમુદાયના સભ્યો નવરાત્રિની ઉજવણી કરવા એકઠા થશે. તેમણે કહ્યું કે નવરાત્રીએ હિંદુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવારોમાંનો એક છે, જે દેવી દુર્ગાના રાક્ષસ મહિષાસુર પરના વિજય અને અનિષ્ટ પર સારાની જીતને દર્શાવે છે.
કેનેડાના ઁસ્એ કહ્યું કે નવરાત્રિને નારી ઊર્જાના ઉત્સવ તરીકે જાેવામાં આવે છે, મિત્રો અને પરિવારજનો માટે એકસાથે આવવાનો અને પ્રાર્થના, આનંદ, વિશેષ ખોરાક અને ફટાકડા સાથે વર્ષો જૂની પરંપરાઓનું સન્માન કરવાનો સમય છે. તમામ કેનેડિયનો માટે, નવરાત્રી હિંદુ સમુદાયોના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની અને કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક માળખામાં તેમના અમૂલ્ય યોગદાનને ઓળખવાની તક પણ આપે છે.. કેનેડાના ઁસ્એ કહ્યું કે આ ઉજવણી આપણને યાદ અપાવે છે કે વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. તેમના પરિવાર અને કેનેડા સરકાર વતી શુભકામનાઓ પાઠવતા ટ્રૂડોએ વધુમાં કહ્યું કે હું આ વર્ષે નવરાત્રીની ઉજવણી કરતા તમામ લોકોને શુભેચ્છા આપુ છું.
૧૮ સપ્ટેમ્બરના રોજ, ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો, જ્યારે ટ્રૂડોએ કહ્યું કે તેમની સરકાર પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા નિજ્જરની હત્યા સાથે ભારત સરકારના એજન્ટોને જાેડતા વિશ્વસનીય આરોપોને સક્રિયપણે અનુસરી રહી છે. ભારતે આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા. કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારા બહાર બે અજાણ્યા હુમલાખોરોએ ખાલિસ્તાની નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. ઓટ્ટાવાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા પછી ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી અને ટીટ-ફોર-ટાટ કાર્યવાહીમાં કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. કેનેડિયન મીડિયા અહેવાલોમાં જણાવાયું કે નવી દિલ્હીએ ઓટાવાને તેના રાજદ્વારી સ્ટાફ ઘટાડવા માટે કહ્યું તે પછી કેનેડાએ ભારતમાં તેના મોટાભાગના રાજદ્વારીઓને કુઆલાલંપુર અથવા સિંગાપોર ખસેડ્યા હતા.
Recent Comments