૧૧-પોરબંદર લોકસભા મતવિસ્તારના બીજા દિવસના પ્રવાસ દરમિયાન આજે સૌથી પહેલા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ૧૧-પોરબંદર
લોકસભાના ઉમેદવારશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા કેશોદ ખાતે સમસ્ત ગામ દ્વારા યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં હાજરી આપી. જ્યાં ભાગવતકથાકાર અને નગરજનોએ આવકાર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ કેશોદ, મેંદરડા અને માણાવદર શહેર અને તાલુકાના વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી. “અબ કી બાર 400 પાર, પોરબંદર સર્જશે નવો કીર્તિમાન”ના લક્ષ્ય સાથે કેન્દ્રિય મંત્રીશ્રીએ કેશોદ શહેર, વંથલી શહેર, મેંદરડા શહેર, બાંટવા શહેર અને માણાવદર શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે અલગ અલગ કરી હતી.
આ ઉપરાંત “મારું બુથ સૌથી મજબૂત”ના સંકલ્પ સાથે માણાવદર તાલુકાના સુલતાનાબાદ બુથ ખાતે બુથ સમિતિની બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ જે.એમ.પાનરા શૈક્ષણિક સંકુલ, માણાવદર ખાતે આયોજિત “પ્રબુદ્ધ નાગરિક સંમેલન”માં હાજરી આપી છેલ્લા ૧૦ વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા થયેલા કામોની ચર્ચા કરવામાં આવી હતી. વિઝનરી મંત્રી તરીકે ઓળખાતા અને સાદગીને વરેલા શિસ્ત અને સક્રિય એવા લોકનેતા મનસુખભાઈ માંડવિયાજીને લઈ પોરબંદર લોકસભાની જનતા અને કાર્યકર્તાઓમાં એક હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીયમંત્રી અને ૧૧-પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખમાંડવિયાનો,કેશોદ, વંથલી, મેંદરડા,માણાવદરનો પ્રવાસ

Recent Comments