અમરેલી

કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા દ્વારા કોરોનાની લડાઈ લડવા ફાળવેલ રૂા .૧ કરોડની ગ્રાન્ટથી જિલ્લામાં છેવાડાના દર્દીઓ માટે ચોકકસ આશિર્વાદરૂપ થશે – ડાયનેમિક ગૃપ

જિલ્લાના એક લોકપ્રતિનિધિ તરીકે પોતાની જવાબદારી સમજીને વતન અમરેલી જિલ્લા માટે ઓકિસજન પ્લાન્ટ , વેન્ટિલેટર વિ.સુવિધા સત્વરે ઉભી કરવા પોતાની ગ્રાન્ટમાંથી રૂા .૧ કરોડ જેવી માતબર રકમ ફાળવીને રૂપાલા સાહેબ ખરા અર્થમાં ‘ કોરોના – વોરિયર્સ’ની ભૂમિકામાં ઉભા રહયા છે – હરેશ બાવીશી અમરેલીના લોકપ્રતિનિધિ તથા જાહેર – જીવનના વિવિધ પદ પર રહીને લોકપ્રતિનિધિત્વની સબળ તથા સફળ જવાબદારી સુપેરે નિભાવી ચૂકેલ લોકનેતા તથા કેન્દ્રીય કૃષિ રાજયપ્રધાન માન પરશોતમભાઈ રૂપાલા સાહેબે વતન અમરેલીને કોરોના મહામારીમાંથી બચાવવા તથા કોરોના મહામારી સામે લડવા માટે તાત્કાલિક અસરથી ૧ કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ ફાળવીને એક વતનપ્રેમી લોકપ્રતિનિધિત્વનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ છે જેને અમરેલીના ડાયનેમિક ગૃપે આવકારીને અભિનંદન આપેલ છે . આ તકે અમરેલીના ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશીએ જણાવ્યુ હતુ કે માનશ્રી પરશોતમભાઈ રૂપાલા દ્વારા ફાળવાયેલ રૂા .૧ કરોડની ગ્રાન્ટમાંથી અમરેલી સિવિલ તથા રાજુલા સબ – ડીવીઝનલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ તથા અમરેલીની સિવિલ તથા રાધિકા હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધામાં વધારો થશે જેનાથી જિલ્લાના છેવાડાના દર્દીઓને કોરોના સારવાર લેવામાં પડતી મુશ્કેલી તથા હાલાકી ઓછી થશે જે સમગ્ર જિલ્લા માટે કોરોનાની લડાઈ લડવામાં પરિણામલક્ષી સાબિત થશે .

Related Posts