કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ ૨૧ જૂનના રોજ ગાંધીનગર ખાતે આવી રહ્યા છે .વિશ્વ યોગ દિવસ ના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેકટર ૨૮ ની વસંતકુવરબા હાઇસ્કુલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં વચ્ર્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસદં કરેલા પાલ અને કોલવડા સાથે વેકિસનેશન ના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપનાર છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં વેકસીનેશનની કામગીરી થોડીક ધીમી ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં પહેલો ડોઝ લેનાર ૬.૨૧લાખ લોકો છે. બીજાે ભાગ લેનાર ૧.૫૧ લાખ લોકો છે.વેકસીનેશનની ખૂબ જ ધીમી કામગીરીને લઈને સાંસદ અમિત શાહ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે.
છેલ્લે અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે આવ્યા ત્યારે કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કયુ હતું .તેમજ ગાંધીનગરમાં બારસો બેડની કોવીડ હોસ્પિટલ મહાત્મા મંદિર ખાતે નિર્માણની જાહેરાત કરી હતી. આ હોસ્પિટલ તૈયાર થઈ ગયા પછી તેવો ગાંધીનગર આવી રહ્યા છે સંભવતઃ આ હોસ્પિટલની મુલાકાત કરે તેવી શકયતા અત્યારે જાેવાઇ રહી છે.
સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મુલાકાત દરમિયાન તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરવા જવાની સાથે આગામી રથ યાત્રા અંગે પણ મહત્વના સંકેતો આપી શકે છે આ સિવાય તેઓ રાજકીય બેઠક પણ ખાનગી ધોરણે યોજે તેવી શકયતા છે.
Recent Comments