કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે અમુક ફિલ્મોને નિશાન બનાવતી ‘બહિષ્કાર સંસ્કૃતિ’ની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, આવી ઘટનાઓ એવા સમયે વાતાવરણને બગાડે છે જ્યારે ભારત ‘સોફ્ટ પાવર’ ના રૂપમાં પોતાનો પ્રભાવ વધારનાને લઈને કામ કર્યું છે. ઠાકુરે કહ્યું કે, જાે કોઈને ફિલ્મને લઈને કોઈ સમસ્યા હોય તો તેણે સંબંધિત સરકારી વિભાગ સાથે વાત કરવી જાેઈએ, જે ફિલ્મ નિર્માતાઓ સાથે આ મુદ્દો ઉઠાવી શકે. જ્યારે વિવિધ જૂથો દ્વારા ફિલ્મોના બહિષ્કાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ઠાકુરે અહીં પત્રકારોને કહ્યું કે, “જ્યારે ભારત ‘સોફ્ટ પાવર’ તરીકે પોતાનો પ્રભાવ વધારવા આતુર છે, એવા સમયે જ્યારે ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખૂણામાં ધૂમ મચાવી રહી છે, આવી વસ્તુઓ વાતાવરણને બગાડે છે.”
મંત્રીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બુધવારે રિલીઝ થયેલી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ના સોન્ગને લઈને બહિષ્કાર કરવા માટે કોલ કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં, અભિનેતા અક્ષય કુમારની “સમ્રાટ પૃથ્વીરાજ”, આમિર ખાનની “લાલ સિંહ ચઢ્ઢા” અને દીપિકા પાદુકોણની “પદ્માવત” ને બહિષ્કારના કોલનો સામનો કરવો પડ્યો છે. ઠાકુરે વધુમાં કહ્યું કે, “જાે કોઈને (ફિલ્મ સાથે) કોઈ સમસ્યા હોય, તો તેણે સંબંધિત વિભાગ સાથે વાત કરવી જાેઈએ, જે તેને નિર્માતા અને દિગ્દર્શક સાથે ઉઠાવશે.” કેટલાક લોકો તેને સંપૂર્ણ રીતે જાણતા પહેલા જ તેના પર ટિપ્પણી કરે છે.
આના કારણે સમસ્યાઓ થાય છે. એવું ન થવું જાેઈએ.” ઠાકુર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં) ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા મુંબઈમાં છે, જે આઠ યુરેશિયન દેશોના પ્રાદેશિક જૂથમાંથી ૫૮ ફિલ્મો પ્રદર્શિત કરશે. જીર્ઝ્રં નિરીક્ષક દેશો અને સંવાદ ભાગીદારોએ ફિલ્મ ફેસ્ટિવલના બિન-સ્પર્ધા વિભાગમાં એન્ટ્રી મોકલી છે. મંત્રીએ સર્જનાત્મક સ્વાયત્તતા માટે પણ મજબૂત પીચ બનાવી અને કહ્યું કે, ‘ઓવર-ધ-ટોપ’ (ર્ં્્) પ્લેટફોર્મ્સ પર સામગ્રીનું નિરીક્ષણ કરવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, “સર્જનાત્મકતા પર કોઈ પ્રતિબંધ ન હોવો જાેઈએ” તેમણે કહ્યું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયને ર્ં્્ પ્લેટફોર્મ પર સામગ્રી સંબંધિત ફરિયાદો મળે છે, પરંતુ લગભગ ૯૫ ટકા ફરિયાદો નિર્માતાઓના સ્તરે અને અન્ય ‘એસોસિએશન ઑફ પબ્લિશર્સ’ના બીજા તબક્કામાં ઉકેલવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે, માત્ર એક ટકા ફરિયાદો આંતર-વિભાગીય સમિતિ સુધી પહોંચે છે અને તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવે.
Recent Comments