રાજકોટ જળક્રાંતિ ટ્રસ્ટ ના પ્રમુખ દિવ્ય ગ્રામ યોજના ના પ્રણેતા ભારતીય સંસ્કૃતિ ના પાંચ માં વેદ ગોવેદ ના રચિયતા મનસુખભાઈ સુવાગિયા નું પ્રાકૃતિક કૃષિ ગ્રંથ વિમોચન રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ૧૨૦ પ્રકારની દેશી કેરીના પ્રદર્શનને ખૂલ્લુ મુક્યુ હતુ અને મનસુખભાઇ સુવાગીયાના લુપ્ત થતા દેશી આંબા અને દેશી કૃષિ બીજની સુરક્ષા અભિયાનને કૃષિ અને કિસાન આબાદીના ઉમદા કાર્ય તરીકે બિરદાવ્યું હતુ.રાષ્ટ્રને જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજના અને ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ ગોવેદના પ્રદાતા મનસુખભાઇ સુવાગીયાએ કિસાન પુત્ર તરીકેના ૫૦ વર્ષના અનુભવો અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના ૧૮ વર્ષના અભ્યાસ-સંશોધનો અને અંતઃ સ્ફુરણાથી વિશ્વ પ્રેરક ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુક્ત પ્રાણવાન જિંદગી ગ્રંથ લખ્યો છે જૂન -૩ સંધ્યા કાળે મનસુખભાઇ સુવાગીયાની ફ્લોટેક પંપ કંપનીના પ્રાંગણમાં કેન્દ્રિય મંત્રી શ્રી પુરુષોતમ રુપાલાજીના કરકમલે આ ગ્રંથ રાષ્ટ્ર સમર્પિત કરાયો. જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયાએ જણાવેલ કે, ગાયો માનવો-જીવોને અન્નદાન-ઘાસચારાથી માત્ર છ કલાકની સમસ્યા હલ થાય છે. એ રકમ અને પરિણામ વગરના ધાર્મિક સામાજીક પ્રસંગો, હરિફાઇથી બંધાતા સાંપ્રદાયિક મંદિરોમાં વેડફાતા ધન-સમય-મગજથી પોતાના ગામથી લઇને દેશમાં ચેકડેમ-તળાવો બાંધીશું, તો ૧૦૦થી ૧૦૦૦ વર્ષ અસંખ્ય લોકો-ગાયો-જીવોને અન્ન-પાણી-આહાર મળશે. સંસ્કૃતિ અને રાષ્ટ્રનો પ્રાણ ગામડા ભાંગતા બચશે. કિસાન-ગામડું-પર્યાવરણ-રાષ્ટ્રની આબાદી થશે. અમે જળક્રાંતિ દ્વારા જગતને આ સફળ માર્ગ બતાવ્યો છે. ગીર-કાંકરેજ-ભારતીય ગાયોની લુપ્તતા શોધીને ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે નવી યોજના આપી. જેનાથી ગીર-કાંકરેજ ગાયની સંખ્યા ૨૫ હજારમાંથી પાંચ લાખ થઇ છે. દેશ-વિશ્વને ગોરક્ષાનો સાચો માર્ગ મળ્યો છે. કરોડો લોકોને ગાયના દૂધ-ઘી-છાસની પ્રાપ્તિ થઇ છે. ગીર-કાંકરેજ ગાય અને તેના દૂધ-ઘીની મૂલ્ય વૃદ્ધિ થઇ એ વિશ્વનો નવો ઇતિહાસ છે. સમગ્ર વિશ્વ સફળ પ્રાકૃતિક કૃષિ કરી શકે એવી દીર્ઘ દૃષ્ટિથી અમે આ ગ્રંથ લખ્યો છે.શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ ગ્રંથનો ગહન અભ્યાસ કરીને જણાવેલ કે, મનસુખભાઇ સુવાગીયાએ લખેલ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથમાં ધરાતલની સત્યતા છે. કોઇ કાલ્પનિક એ અશક્ય વાતો નથી. કૃષિને સફળ કરવા અને માનવ-જીવસૃષ્ટિ-પર્યાવરણ બચાવનાનો શ્રેષ્ઠ માર્ગ છે. મનસુખભાઇનો ગ્રંથ કિસાન ઘડતર-સફળ કૃષિ-પર્યાવરણ રક્ષા માટે વિશ્વને ઉપયોગી ગ્રંથ છે. ગાય આધારિત કૃષિથી કિસાન અને ગાય સાથે રાષ્ટ્રનું પાણ પોષણ થશે. જળક્રાંતિ-ગોક્રાંતિ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પ્રદાનથી મનસુખભાઇ સુવાગીયા એ દેશને વિકાસનો સાચો માર્ગ ચિંધ્યો છે.આદિવાસી આગેવાન રતન ભગત રાઠવાએ જળક્રાંતિ ટ્રસ્ટના સહયોગ અને મનસુખભાઇ સુવાગીયાના તપથી નિર્માણ થયેલ ભારતના પ્રથમ દિવ્યગ્રામ ભેખડિયા-જામલીની વિકાસ ગાથા વર્ણવી હતી. પાટીદાર અગ્રણી જેરામભાઇ વાંસજાળીયાએ મનસુખભાઇ સુવાગીયાને રાષ્ટ્રના સાચા રાહબર ગણાવીને જળક્રાંતિ ટ્રસ્ટની રાષ્ટ્રસેવામાં સૌને સાથ આપવા હાકલ કરી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગમાલભાઇ આર્યએ જળક્રાંતિ ટ્રસ્ટની યોજનાઓને કિસાનો અને રાષ્ટ્રની જીવાદોરી ગણાવીને મનસુખભાઇ સુવાગીયાને સાચા ભારતરત્ન ગણાવ્યા હતા.આ પ્રસંગે ગાય આધારિત કૃષિ કાર અને દેશી આંબાના રક્ષક કિસાનોનું જળક્રાંતિ ટ્રસ્ટે સન્માન કર્યુ હતું. કચ્છના દિપકભાઇ પટેલ અને કિસાનોએ મનસુખભાઇ સુવાગીયાની ગાયના ઘીથી તુલા કરી હતી. અંતે મનસુખભાઇ સુવાગીયાએ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા ૧૫૦૦ કિસાનો-મહેમાનોને દારૂ-તમાકુ-ગુટખા મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઇ હસ્તે જળક્રાંતિ ટ્રસ્ટ ના મનસુખભાઇ સુવાગીયા રચિત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ રાષ્ટ્ર ને સમર્પિત “ધાર્મિક સામાજીક પ્રસંગો હરિફાઇથી બંધાતા સાંપ્રદાયિક મંદિરોમાં વેડફાતા ધન-સમય-મગજથી પોતાના ગામથી લઇને દેશમાં ચેકડેમ-તળાવો બાંધીશું” સામુહિક વ્યસન મુક્તિ ની પ્રતિજ્ઞા લેવાઈ

Recent Comments