અમરેલી

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા , દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે ઈફકો દ્રારા તાઉ – તે વાવાઝોડા પ્રભાવી જંગલ વિસ્તારના નેસડામાં પશુપાલકોને વિનામુલ્ય ખાણદાણનું વિતરણ

જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , વાઈસ ચેરમેન મુકેશ અંબાણીની ઉપસ્થિતી વિનાશકારી વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે તેમાં ખાસ કરીને જંગલમાં વસવાટ કરતા માલધારીઓની સ્થિતી વિકટ છે , જંગલ હોવાને નાતે માત્ર જોકમાં રહેતા અને ખુલ્લા વાડામાં પશુઓને આશરો આપતા આ પરિવારોની રોજી પશુધન આધારીત હોઈ , વાવાઝોડા ગ્રસ્ત પશુપાલકોના અબોલ પશુઓને બચાવવા ઈફકો દ્રારા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે વિના મુલ્ય ખાણદાણનું વિતરણ કરવામાં આવેલ હોઈ , અમર ડેરી ખાતેથી દાણ પુરવઠો રવાના કરવામાં આવેલ આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી , એમ.ડી. ડો . આર.એસ.પટેલ અને ઈફકોના ફીલ્ડ ઓફીસર રામાણી ઉપસ્થિત રહયા હતા જયારે બીલીયાળા નેસ દાણ વિતરણ સમયે માણસુરભાઈ ગઢવી સહિત માલધારીઓ ઉપસ્થિત રહયા હતા તેમ ઈફકોની અખબારી યાદીમાં જણાવાયેલ છે

Related Posts