મહિલાઓ માટે જનજાગૃતિ કે યોજવામાં આવ્યો અને અને મહિલા સશક્તિકરણ વિશે સમજાવ્યું હતું તેમાં મહિલાઓના અધિકારો માટે પણ વાત કરવામાં આવી હતી
દીવ મા આજ રોજ ઉષા મહિલા મંડળના બહેનોને શારીરિક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓમાં આ અંગે જાગૃતિ લાવવા માટે આ સ્વાસ્થ્ય સમજણ કેમ્પનું આયોજન ઉષા મહિલા મંડળના પ્રમુખ હેમાશ્રી બેન રાજપૂતના નેતૃત્ત્વમાં કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર દીવના ડોક્ટર આકાંક્ષાબેન મોડાસિય ખાસ બહેનોને જાગૃત કરવા માટે બહેનોને શારીરિક સ્વાસ્થ્યને લઇને સભાન થાય. સ્ત્રિઓ પોતાની અમુક અંગત શારીરિક તકલીફનુ સમયસર નિદાન કરાવતી નથી.જેથી ભવષ્યમાં મોટા રોગોનો શિકાર બને છે હાલ બજારમાં અનેક પ્રકારના સેનેટરી પેડ મળે છે. પરંતુ તે ઉચ્ચ ગુળવતાવાળુ પેડ વાપરવું ખૂબ જરૂરી છે. જેથી મહિલાઓ તેમજ નાની દીકરીઓ ઘણી બધી શારીરિક મુશ્કેલીઓથી બચી શકાય છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હેમાક્ષી રાજપૂત તથા મહિલા મંડળના બહેનોએ ખાસ જહેમત ઉઠાવી હતી.આ તકે સ્મિતાબેન સોલંકીએ ડોક્ટર આકાંક્ષાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments