અમરેલી

કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આઠ વર્ષની ઉજવણી અન્વયે અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ અંતર્ગત કેન્દ્ર સરકારના સેવાસુશાસન અને ગરીબ કલ્યાણના આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો.

       રાજ્ય કક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે હંમેશા ગરીબો- વંચિતો અને જરૂરિયાતમંદોનું હિત વિચારીને જ દરેક નિર્ણયો લીધા છેકેન્દ્રની સરકારે ડી.બી.ટી. (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)ના માધ્યમથી વચેટીયાઓને નાબૂદ કરીને દરેક યોજનાના લાભ લાભાર્થીઓ સુધી સીધા પહોંચાડ્યા છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કેકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી ખેડૂતોની આવક વધારવાના તમામ પ્રયત્નો કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના થકી આજે ખેડૂતોને વાર્ષિક રૂ.૬ હજારનો લાભ મળી રહ્યો છેજેનો ઉપયોગ ખેડૂતો બિયારણ ખરીદીમાં પણ કરી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધાઓ મળી રહી છેઉપરાંત ઉજ્જવલા યોજના સહિતની અનેક યોજનાઓ થકી દેશની મહિલાઓનું સશક્તિકરણ પણ થઇ રહયું છે.

        આઠ વર્ષના સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કેછેલ્લાં આઠ વર્ષમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓનો લાભ સંખ્યાબંધ લોકોને મળ્યો છે. આજે અનાજથી લઈને મકાન સુધીની સુવિધાઓ લાભાર્થીઓ સુધી પહોંચી રહી છેઉપરાંત છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ભારતને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવી છે. સાંસદ સભ્યશ્રીએ વધુ ઉમેરતાં કહ્યું કેજનધન યોજના અંતર્ગત ૪૫ કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છેજેના થકી આજે નાણાકીય વ્યવહારો સરળ થઈ રહ્યા છે.

       કાર્યક્રમના પ્રારંભે એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાઓએ સાંસ્કૃતિક નૃત્ય ગરબા પ્રસ્તુત કર્યું હતુંઉપરાંત ટી.પી.એન.પી શાળા (ગર્લ્સ)ની છાત્રાઓ દ્રારા દેશભક્તિ ગીત પ્રસ્તુત કરાયું હતું.

       આઠ વર્ષ સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને રેશનિંગ કાર્ડ લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયાજિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજિલ્લા પુરવઠા અધિકારીશ્રી શ્વેતાબેન પંડ્યાડી.આર.ડી.એ.ના નિયામકશ્રી સકસેનાજિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts