યશસ્વિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સહકાર થી સમૃધ્ધિ ને ચરિતાર્થ કરવા કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી શ્રી અમીતભાઈ શાહ દ્વારા નવી રાષ્ટ્રિય સહકાર નિતી માટેનાં આવશ્યક મુસદ્દાઓ તૈયાર કરવા રાષ્ટ્રિય સમિતિની રચના કરવામા આવી છે જેમા એનસીયઆઈઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સમાવેશ કરવામા આવેલ છે . કેન્દ્રીય સહકાર મંત્રાલયદ્રારા નવી સરકાર નીતી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભના અધ્યક્ષપદ તળેની આ સમિતિમા ટોચની સહકારી સંસ્થાઓના આગેવાનો સમાવિષ્ટ થયા છે જેમા સંઘાણી ઉપરાંત આરબીઆઈના બોર્ડ સદસ્ય સતીશ મરાઠે , જીસીએમએમએફ ના એમ.ડી આર.એસ.સોઢી , ક્રિભકોના એમડી રાજન ચૌધરી વિગેરેનો સમાવેશ કરવામા આવેલ છે .
રાષ્ટ્રિય , રાજય , જીલ્લા અને પ્રાથમિક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ , કેન્દ્ર શાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના સહકાર સચિવ – રજીસ્ટ્રાર અને કેન્દ્રીય મંત્રાલયો | વિભાગોના અધિકારીઓ પણ આ કાર્યમા સામેલ થશે . દેશમા સહકારી પ્રવૃતિને વધ મજબૂત કરવા સાથે ટેકોનોલોજી અને બિઝનેસ સ્ટ્રકચરને સસંગત દેશના વિકાસમા સહકારી ભાગીદારી બળવતર બનાવવા પર આ સમિતિ કામ કરશે તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે .
Recent Comments