રાષ્ટ્રીય

કેરળમાં નિપાહ વાયરસના ૪ કેસ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યની મદદ માટે ટીમ તૈયાર કરીકર્ણાટક-તમિલનાડુ અને રાજસ્થાનમાં એલર્ટ

કેરળમાં નિપાહ વાયરસ ફરી ત્રાટક્યો છે. તાજેતરના આ વાયરસના છ દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ પર આવી ગઈ છે. વાયરસને કાબૂમાં લેવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યની મદદ માટે પોતાની ટીમ તૈયાર કરી છે. ૈંઝ્રસ્ઇએ એક મોબાઈલ લેબ પણ બનાવી છે અને ગ્રામ્ય સ્તરે જ વાયરસની ઓળખ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, મોટો પ્રશ્ન એ છે કે શું વાયરસ કેરળની બહાર પણ ફેલાઈ શકે છે અને તે શું કોરોના વાયરસ કરતાં વધુ ખતરનાક છે?… નિપાહ વાયરસની ઓળખ.. અથવા વાઈરસના સામાન્ય લક્ષણો જે સામે આવ્યા.. જેના વિષે જણાવીએ તો, દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન અને અલગ કરવા એ કેટલીક રીતો છે જેના દ્વારા આ વાયરસને નિયંત્રિત કરી શકાય છે.

જેમ કે કોરોના વાયરસ ચેપ. જ્યારે લોકો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે વાયરસ ફેલાય છે. જાે કે, તેનો મૃત્યુદર કોરોનાના ૨-૩ ટકાની સરખામણીમાં ૪૦-૭૦ ટકા છે. જાેખમને ધ્યાનમાં રાખીને શુક્રવારે મસ્જિદોમાં શુક્રવારની નમાજનું આયોજન કરવામાં આવ્યું ન હતું. એકબીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાવાનો ભય છે. કેરળમાં નિપાહના ચાર એક્ટિવ કેસો સામે આવ્યા.. જે વિષે જણાવીએ તો, હાલમાં નિપાહના દર્દીઓ કેરળના કોઝિકોડમાં જ જાેવા મળી રહ્યા છે. અહીં, રાજ્યના આરોગ્ય મંત્રાલયે ગ્રામ પંચાયત સ્તરે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યો છે. કુલ ૬ દર્દીઓમાંથી ચાર સક્રિય છે અને બે મૃત્યુ પામ્યા છે. સંક્રમણની ઓળખ બાદ અન્ય રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન-કર્ણાટકમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં, મેડિકલ અને હેલ્થ સર્વિસ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરે તમામ જિલ્લાઓ અને મેડિકલ કોલેજાેને એક એડવાઈઝરી જારી કરી છે, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. કર્ણાટકમાં નિપાહને લઈને એલર્ટ જાહેર કરાયું.. જે વિષે જણાવીએ તો, કર્ણાટકમાં પણ આવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગર અને મૈસુરના સરહદી જિલ્લાઓના આરોગ્ય વિભાગોને સર્વેલન્સ વધારવા માટે કહ્યું છે. પાડોશી રાજ્યોમાંથી આવતા લોકોને ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી રાજ્યમાં નિપાહના પ્રવેશને રોકી શકાય. નિપાહ કોરોના સંક્રમણ કરતા અનેકગણું ઘાતક છે. કેરળમાં આ ચોથી વખત વાયરસની ફરીથી ઓળખ થઈ છે.

૨૦૧૮ માં સૌથી ખરાબ ઘટના બની હતી જ્યારે ૧૭ લોકો માર્યા ગયા હતા, જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૧ માં કોઈ મૃત્યુ થયું ન હતું. નિપાહ વાયરસ કર્ણાટક-તામિલનાડુ માટે ખતરો.. જે વિષે જણાવીએ તો, નિપાહ વાયરસના કારણે પ્રથમ મૃત્યુ લગભગ બે અઠવાડિયા પહેલા ૩૦ ઓગસ્ટના રોજ થયું હતું અને તે દર્દીના મૃત્યુનું કારણ હવે જાણી શકાયું છે. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૬ દર્દીઓના સંપર્કમાં આવેલા ૧૦૮૦ લોકોની ઓળખ કરવામાં આવી છે. આમાંથી, ૨૫૦ થી વધુ લોકો એવા છે જેમને ચેપ લાગવાનું જાેખમ વધારે છે. કોઝિકોડની વિવિધ હોસ્પિટલોમાં એક ડઝનથી વધુ લોકો ક્વોરેન્ટાઇન અને નિરીક્ષણમાં છે. વર્લ્ડ ફોરેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન ઝૂનોટિક રોગોના હોટસ્પોટ તરીકે ઉભરી શકે છે. નિપાહના કિસ્સામાં, અન્ય રાજ્યો, ખાસ કરીને કેરળના પડોશી કર્ણાટક અને તમિલનાડુએ તેના ખતરા અંગે સતર્ક રહેવું જાેઈએ.

Related Posts