જૂનાગઢ કેશોદની યુ.કે. વાછાણી મહિલા કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનો યુવાન કલા કૌશલ્ય અને ટેકનોલોજીથી સજજ થઈ ઇનોવેટિવ આઈડિયા સાથે વિશ્વ કક્ષાએ અગ્રેસર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુવાઓના ઉત્કર્ષલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના દરેક યુવાનો આગળ વધે અને તેમની પ્રગતિ થાય અને સાથે સાથે શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સરકારી શ્રેણીબદ્ધ આયોજનો કરી સફળતાલક્ષી કાર્યો કર્યા છે કેમ જણાવી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં નવી યુનિવર્સિટીઓનો પ્રારંભ કરાવીને યુવાના વિકાસની નવી દિશા આપી હતી. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાનના નેતૃત્વમાં યુવાઓને નવી નવી તકો અને સફળતા મળી રહે છે
ત્યારે ગુજરાત પણ યુવાઓના કૌશલ્ય અને આવડત સાથે પ્રયોગશીલ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. ૩૬ મી નેશનલ ગેમ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને સંશોધાત્મક અભ્યાસોને પ્રોત્સાહન આપી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલા કૌશલ્યમાં નિપુણ એવા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્સવમાં સહભાગી થયેલા જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની કોલેજના ૭૦૦ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્ય ક્ષેત્રમાં પવિત્ર ભૂમિ છે. દ્વારકાધીશ થી સોમનાથ મહાદેવ અને ગિરનાર તપોભૂમિ ના મહાત્મય સાથે તેઓએ યુવાઓમાં રહેલી કલાની ચેતનાને ઉજાગર કરતા જણાવ્યું હતું કે, યુવાઓમાં કલાનું સામર્થ્ય છે.
રમતગમત કલા કૌશલ્યની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તેઓએ પ્રેરણાદાયી વાત કરી હતી. ભાઈએ યુવક મહોત્સવમાં સહભાગી થયેલા તમામ યુવા ભાઈ બહેનોને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ રમેશ ધડુકે સરકાર દ્વારા શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિને પ્રોત્સાહન અને રમત ગમત સહિત કલા ક્ષેત્રે યુવાઓને તક મળે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકાર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અવસર ૨૦૨૨ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ તેમજ યુ.કે. વાછાણી મહિલા કોલેજના સંચાલકો તેમજ અધ્યાપકો સહિત ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને આવકારી હતી. યુવક મહોત્સવના ઉદ્ધઘાટન સમારોહના દિવસે અલગ-અલગ થીમ તથા આકર્ષક-પચરંગી ફ્લોટ્સ ધરાવતી વિશાળ કલાયાત્રા કેશોદકમાં યોજાઈ હતી.
આ કલાયાત્રામાં ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો તથા સમાજપયોગી અલગ-અલગ થીમને ઉજાગર કરવામાં આવી હતી. આવશે. આ કલાયાત્રામાં મહાનુભાવો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના રજીસ્ટર મયુર સોનીએ સ્વાગત કરી પ્રવચન કર્યું હતું. અભારવિધિ ડૉ.સીબી કગથરાએ, કાર્યક્રમનું સંચાલન ડૉ. ઉષા લાડાણીએ કર્યું હતું. આ કાર્યક્રમ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપળીયા, કંચનબેન દઢાણીયા જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદના પ્રમુખ જયેશભાઇ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઇ વડારીયા, ,અરવિંદભાઇ લાડાણી, પ્રવિણભાઇ ભાલાળા, સહીતના ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ યુનિવર્સીટીના સીન્ડીકેટ સભ્યો, નરસિંહમહેતા યુનિવર્સિટી સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments