રાષ્ટ્રીય

કોંગ્રેસનો આતરકલહ વિપક્ષોને એક થવા દેશે….? રાજ્યોની ચૂટણીઓ ભાજપને ભારે પડી શકે…..!

                  દેશમાં ભાજપ સિવાયના તમામ રાજકીય વિરોધ પક્ષોને એકજૂટ થવા માટે મમતા બેનર્જી દ્વારા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. તે સાથે સર્વ વિપક્ષોને સ્વીકાર્ય કોમન મુદ્દાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોઈ પણ વિપક્ષને ભાજપ સામે લડવામાં વાંધો નહીં અને કોમન મુદ્દે લડત આપી શકે. જ્યારેક મમતા બેનરજીએ દરેક વિપક્ષ સાથે એક જ વાત કરી છે કે પ્રથમ ભાજપાના હરાવો પૂછીથી તમામ રસ્તા મળી રહેશે. તેમજ દરેક પક્ષોએ એક જૂટ થવું જરૂરી છે નહીતો મતો જે તે પક્ષો વચ્ચે વહેચાઈ જશે અને તે  કારણે ભાજપને લાભ મળે છે તે ફરી મળી શકે. જાે એક નહિ થઈએ તો પછી કેટલાક પક્ષોના અસ્તિત્વ સામે પણ જાેખમ ઉભા થઇ જશે. દેશમાં સૌથી જુનો અને ભારતભરમાં ગ્રામ્યસ્તર સુધી પથરાયેલો કોંગ્રેસ પક્ષના આજે પણ અન્ય પક્ષો કરતા વધુ ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તેમજ સહકારી સંસ્થાઓમાં વધુ સભ્યો ધરાવે છે.... પરંતુ વિરોધ પક્ષોની આંતરિક લડતમાં કોંગ્રેસ સહિતના દરેક વિપક્ષોની નુકસાન થયું છે. એટલે હવે ભાજપ સામે તમામ વિપક્ષોએ એક જૂટ થઈ લડવું જરૂરી છે અને આ બાબત વિપક્ષોમા સ્વિકૃત થતી જઈ રહી છે. ત્યારેજ કોંગ્રેસમાં પંજાબ અને રાજસ્થાન સરકારમાં આંતરિક જૂથબંધી બહાર આવી છે અને આ બંને રાજયોમાં કોંગ્રેસ માટે પ્રશ્નો ઊભા કરી દીધા છે. રાજસ્થાનનું કોકડુ  હજી સુધી ઉકેલાયું નથી ત્યાં પંજાબ કોંગ્રેસમાં અમરિંદરની સરકાર સામે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના કહેવાતા ૩૦ ઉપરાંત ધારાસભ્યોએ બળવાનું બ્યુગલમ્ન ફૂંકી દીધુ છે. પરંતુ કેપ્ટન મજબૂત સીએમ છે. તેઓને વાંધો છે આવે તેમ નથી. તે સાથે આગામી ચૂંટણી સીએમ  કેપ્ટન અમરિંદરની આગેવાનીમાં લડવામાં આવશે  તેવી કોંગ્રેસ દ્વારા જાહેરાત કરીને બળવાખોરોને  ચેતવણી આપી દીધી છે. આ બધા વચ્ચે ગુજરાતમાં આજે છ-છ મહિના વિતવા છતા પ્રદેશ પ્રમુખ કે  વિધાનસભા વિપક્ષ નેતાની નિમણૂક હજુ સુધી થઇ શકી નથી..... ટૂંકમાં કોંગ્રેસને ભાજપ નહીં પણ ખુદ કોંગ્રેસના જ ખતમ કરવા તરફ જઇ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.....આને આવી બાબતો રાજકિય ક્ષેત્રમા ચર્ચાઈ રહી  છે.....!

                   દેશના સાત રાજયોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ ભાજપને માટે તકલીફ દેહી હોઈ શકે તેવી સ્થિતિ બની રહી છે.....!  યુપીમાં ભાજપની યોગી સરકારનો ગ્રાફ તદ્દન નીચે ઉતરી ગયો છે. ઉપરાંત કેટલીક કોરોના કાળની દુઃખદ ઘટનાઓ તથા કેટલીક શરમજનક ઘટનાઓએ ભાજપને નુકસાન પહોંચનારી બની રહી છે અને તેના વમળો આજે પણ યથાવત છે. તો બીજી તરફ કૃષિ કાનૂન વિરોધી કિસાન આંદોલન પણ ભાજપને મોટું નુકસાન કરશે તે પણ સ્પષ્ટ અનુભવી શકાય છે.....!તાજેતરમા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિહનું નિધન થવાનો લાભ લેવા તેમના અસ્થિ કળશ યાત્રા કાઢી પરંતુ તેનો પણ લાભ મળશે કે કેમ તે મોટો સવાલ છે....કારણ તેઓને ભાજપ શાસનમાજ ભૂલાવી દેવાયા હતા. ટૂંકમાં ભાજપ માટે યુ.પી કપરાં ચઢાણ રૂપ બની રહેશે જ્યારે પંજાબમાં ભાજપને પગ મૂકવાની જગ્યા મળે તેમ નથી...કારણ કૃષિ કાનુન સામે કિસાન આંદોલનના પડઘા સતત ગાજી રહ્યા છે. તેમ જ એક સમયનો સાથી પક્ષ અકાલીદળ તેની સાથે બેસવા તૈયાર નથી. અને આ બધી બાબતો ભાજપને ધાર્યા બહારનુ નુકસાન કરી શકે તેવી શક્યતા છે....! આ બધું છતા  ભાજપ માટે દરવાજા ખુલી શકે છે...જાે કૃષિ કાનુનો પરત ખેંચે તો.... નહીં તો...નુકસાન માટેની ભાજપાએ  તૈયારી રાખવી પડશે.....!       ?            

વંદે માતરમ્‌

Related Posts