કોંગ્રેસમાં 3 વર્ષ રહ્યો ત્યારથી ખબર પડી કે, અહીં જાતિવાદનું રાજકારણ છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર મીડિયા સમક્ષ હાર્દિક પટેલે આપી આ પ્રતિક્રિયા આપી હતી. આ સાથે કોંગ્રેસમાથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો હાર્દિક પટેલે કર્યા હતા.
હાર્દિક પટેલે કહ્યું કે, હું આજે ખુલ્લા મનથી ચર્ચા કરવા માટે આવ્યો છું. કોંગ્રેસમાં 3 વર્ષ રહ્યો ત્યારથી ખબર પડી કે, અહીં જાતિવાદનું રાજકારણ છે. લોકોની સેવા કરવા માટે રાજકારણમાં જોડાયો છું. તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. કોંગ્રેસમાં માત્ર લોકોને ઉપયોગ કરવાનું રાજકારણ છે. મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો પરંતુ કોઈ જવાબદારી ના આપી. કોંગ્રેસમાં અનેક સપનાઓ લઈને આવ્યો હતો. લોકોના પ્રશ્નોનું પ્રયત્ન કર્યો તો જવાબદારી જ ના આપી.
કોંગ્રેસમાં કોઈ મજબૂત નેતા આગળ આવે ત્યારે તેમને હટાવવાનો પ્રયત્ન કરવામાં પહેલા આવે છે. જ્યારે મે સાચી વાત કહેવાની શરૂ કરી ત્યારે મને બદનામ કરવામાં આવ્યો તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. ગુજરાતમાં માત્ર હાર્દિક જ ફક્ત કોંગ્રેસથી નારાજ નથી. અન્ય લોકોને કં નારાજગી છે.
લોકોના અધિકાર માટે નિષ્ઠાપૂર્વક આંદલોન કર્યું હતું. અમારું આંદોલન સરકાર વિરુદ્ધ હતું તે હકીકત છે. અમારા આંદોલનથી ઘણો ફાયદો સમય ઘણી જ્ઞાતિઓને થયો છે.
Recent Comments