બોટાદમાં કોંગ્રેસ નેતાએ ક્રિકેટ મેચની નકલી ટિકિટના શંભુનાથ ટુંડિયા પર આરોપ લગાવ્યા છે. ગઢડાના ધારાસભ્ય છે શંભૂનાથ ટુંડિયા. ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ શંભુનાથ ટુંડિયા પર આ આરોપ લગાવ્યો છે. શંભુનાથ ટુંડિયા ઝાંઝરકા સંત સવૈયાનાથના ગાદીપતી છે. સેવકોએ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. નકલી ટિકિટ વેચવામાં શંભુનાથ ટુંડિયાનો હાથ હોવાનો દાવો કર્યો હતો. મહત્વનું છે કે, આ આરોપો બાદ ઝાંઝરકા સંત સવૈયાનાથ જગ્યાનાં લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. ઝાંઝરકાના સેવકો દ્વારા કિશોર વેલાણી અને ભાવનગરના દસુભા ગોહિલ સામે ફરિયાદની માંગ કરી છે. બરવાળા અને રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી છે. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ૨૪ કલાકમાં પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસી નેતાએ નકલી ટિકિટ વેચવામાં શંભુનાથ ટુંડિયાનો હાથ હોવાનો દાવો કર્યોબરવાળા અને રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી

Recent Comments