વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ 2022માં યોજાવા દરમિયાન કોંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાંથી એક ધારાસભ્ય દ્વારા રાજીનામુ ધરવામાં આવતા હવે સંખ્યાબળ માત્ર 16નું જ રહેવા પામ્યુ છે. આ દરમિયાન હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ નારાજગી દૂર કરવા માટે હવે કોંગ્રેસે તેમની રજૂઆત મુજબના પગલાં લેવાની રહી રહીને આક્રમતા દર્શાવી છે.
આમતો જે રીતે નારાજગીના સૂર હતા એ મુજબ પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ પહેલાથી જ મંજુલા પ્રવિણભાઈ રાઠોડને લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની રજૂઆત કરી હતી. પરંતુ તે અંગે પગલાં નહીં ભરાતા હોવાની નારાજગી જોવા મળી હતી. પરંતુ નારાજગીના સૂર નિકળતા વેંત કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો હતો. આ દરમિયાન ભાજપના ઉત્તર ગુજરાતના નેતાઓએ પણ તેમની સાથે મુલાકાતોનો દોર શરુ કર્યો હતો, ત્યાં જ કોંગ્રેસે હવે કિરીટ પટેલને મનાવી લેવા પ્રયાસ શરુ કર્યા છે. આ માટે રજૂઆત મુજબ હવે મંજૂલા રાઠોડને જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદ પરથી દૂર કરી દીધા છે.
Recent Comments