દામનગર શહેર માં સેવાગ્રુપ ની સુવાસ સર્વત્ર ફેલાઈ સુરત શહેર ની સામાજિક સંસ્થા જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દામનગર ના સેવાગ્રુપ ને સહકાર પક્ષીમાળા ચણપાત્ર પાણી ના કુંડા વિતરણ કરાયા અનેક વિધ સેવા નો પર્યાય જયભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્મા નું કલ્યાણ એજ કામના સાથે જીવદયા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ સહિત ના ક્ષેત્રે સેવા સંસ્થાન દ્વારા દામનગર શહેર ના સેવાગ્રુપ ના યુવાનો વિપુલ વાઘેલા પ્રિતેશ નારોલા દિનેશ વાજા નયન જોશી મિતેષ ધાણક જગદીશબાપુ અશ્વિન પંડ્યા બ્રિજેશ આચાર્ય ભાવિક નિમ્બાર્ક શૈલેષ મોટાણી અતુલ કોળી મુનાભાઇ ચાવડીયા શૈલેષ ગોહિલ સહિત ના યુવાનો ની મુક પક્ષી પ્રત્યે અપાર કરુણા સભર સેવા ઓથી પ્રભાવિત થઈ સુરત ની સામાજિક સંસ્થા જયભગવાન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણ માં પક્ષીમાળા ચણપાત્ર પીવા ના પાણી ના કુંડા અર્પણ કરાયા હતા
દામનગર શહેર માં વિવિધ જાહેર સ્થળો વેરાન વગડા રોડ રસ્તા ઉપર ના વૃક્ષો ઉપર કુદરતી પ્રકૃતિ ના ખોળે વિહાર કરતા પક્ષી ઓ માટે નીસ્વાર્થ ચણપાણી ની વ્યવસ્થા કરતા સેવાગ્રુપ ની હદયસ્પર્શી સેવા ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ રહી છે આજે દામનગર શહેર ના સેવાગ્રુપ સુધી મદદ લઇ ને આવી પહોંચેલ જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ વિપુલભાઈ નારોલા જીતેન્દ્રભાઈ બાબરીયા ભરતભાઇ કાકડીયા પ્રેમજીભાઈ નારોલા ઘનશ્યામભાઈ નારોલા સહિત ટ્રસ્ટી સ્વંયમસેવી ઓ દ્વારા સેવાગ્રુપ દામનગર ના યુવાનો ની સરાહના સાથે મોટા પ્રમાણ માં પક્ષીમાળા ચણપાત્ર પીવા ના પાણી ના કુંડા અર્પણ કર્યા હતા
Recent Comments