શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા શરબત ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુંમોરંગી ગામ ખાતે આજે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મટકી ફોડી ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા.ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા મારુતિ મિત્ર મંડળ દ્વારા પ્લોટ વિસ્તાર રામાપીર મંદિર થી નીકળી ઈમામ હુસૈન ચોક થઈ મુખ્ય બજારમાં થઈ ફરી રામાપીર મંદિર એ પૂર્ણ થઈ હતી.
ત્યારે મુસ્લિમ સમાજ દ્વાર ઈમામ હુસૈન ચોકમાં ચા નાસ્તા ની સબિલ એ ઈમામ હુસૈન ગોઠવવામાં આવી હતી, અને મુખ્ય બજારમાં મુસ્લિમસમાજદ્વારા મટકી નું આયોજન કરવામાં આવ્યું હતું. અને સબિલ એ હુસૈન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બધા ભક્તો માટે શરબત, પાણી અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે એક તરફમોહરમના દિવસો ચાલે છે
ત્યારે જન્માષ્ટમીમાં આવું આયોજન થાય છે તે ખૂબ ખુશી ની વાત છે અને મોહરમમાં દરમિયાન હિન્દુ સમાજ તરફ થી પણ શરબત ચાનું દર વખતે આયોજન કરવામાં આવે છે . આમ નેમ નથી કેહવાનું મોરંગી એકતા નું પ્રતીક છે મોરંગી ના દરેક સમાજ ના તમામ ગ્રામજનો જ્ઞાતીજાતી ના વાડા થી દુર રહી ભાઈ ચારા ની ભાવના થી દરેક ધર્મિક તહેવારો ઉજવે છે.
Recent Comments