સ્થાનિક સ્વરાજની ચુંટણી વખતે કોંગ્રેસપક્ષ દવારા ખાતરના ભાવ વધારા થવા
બાબતની વાત કરેલ ત્યારે સરકારના મંત્રી આર.સી. ફળદુ એવું કહેતા હતા કે ખાતરમાં કોઇ ભાવ
વધારો થવાનો નથી પરંતુ કોંગ્રેસ ખેડુતોને કોઇ મુદો ન હોવાથી ભડકાવવાનું કામ કરી રહી છે, તેવી
વાતો કરતા, હવે આર.સી. ફળદુ જવાબ આપે અથવા ખેડુતોને છેતરવાની કોઇ નવી ઉપજ પોતાના
ભેજામાંથી કાઢે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ હાલ કોરોનાના કપરા કાળમાં
અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ ધરતીપુત્રોને ખાતરનો ભાવ વધારો પરત ખેંચી રાહત આપવામાં
માંગણી કરેલ છે.
ખેડુતોની આવક ડબલ કરવાના છેતરામણા વચનો અને સ્થાનિક સ્વરાજની ચુંટણી
પહેલા ખાતરના ભાવ વધવાના નથી એવી ખોટી વાતો કરી જગતના તાતને છેતરી જિલ્લા પંચાયત,
તાલુકા પંચાયતમાં સતા મેળવનાર આ કિસાન વિરોધી સરકારને હવે ખેડુતો ઓળખી ગયા છે અને
ખેડુતોની આવક બમણી કરવાને બદલે સરકાર હવે પોતાની આવક બમણી કરવા ખેડુતો પર અસહય
અને કમરતોડ ખાતરનો ભાવ વધારો ઝીંકી દીધેલ છે. તે ભાવ વધારો તાત્કાલીક પાછો ખંેચવા શ્રી ડી.કે.
રૈયાણીએ માંગણી કરેલ છે.
(ડી.કે.રૈયાણી)
Recent Comments