રાજ્યમાં કોરોનાના કારણે અવસાન પામેલ ગૌરવ પુરસ્કૃત કલાકારોને આર્થિક સહાય આપવા અંગેની નોંધણીની કાર્યવાહી સરળતાથી હાથ ધરી શકાય તે હેતુથી અમરેલી જિલ્લાના સંગીત, નૃત્ય, નાટય, લોકકલા ક્ષેત્ર પૈકી ગૌરવ પુરસ્કૃત કલાકારો કે જેઓ કોવિડ-૧૯ કોરોનાના કારણે અવસાન પામેલ હોય તેમના પતિ/પત્ની જે હયાત હોય તેમણે તા.૨૮/૦૭/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળીભવન, બ્લોક:-સી, પ્રથમ માળે, રૂમનં.૧૧૦/૧૧૧, અમરેલી ખાતેથી અથવા કચેરીના બ્લોક એડ્રેસ dsoamreli.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે ભરી પરત કરવાનું રહેશે.
કોરોનાના કારણે અવસાન પામેલ ગૌરવ પુરસ્કૃત કલાકારોને આર્થિક સહાય જોગ

Recent Comments