કોરોનાનાJN.૧ વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી, બસ સતર્કતા રાખો : ઋષિકેશ પટેલ

રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ ૬૬ એક્ટિવ કેસ, અમદાવાદ કોર્પોરેશનનાં ચોપડે ૪૭ એક તરફ ગુજરાતમાં ખતરનાક કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર થોડી સતર્કતા રાખવા કહ્યું છે. ૧ લી ડિસેમ્બર થી ૨૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ ૮,૪૨૬ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી ૯૯ કોરોના પોઝીટીવ નોંધાયા – પોઝીટીવીટી રેટ ૦.૮૬ % રહ્યો. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના ત્નદ્ગ.૧ વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં કોરોનાની તા. ૨૮ ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના થી સંક્રમિત હાલ ૬૬ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૪૭, રાજકોટ કોર્પોરેશનના ૧૦, ગાંધીનગર કોર્પોરેશનમાં ૪ તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં ૧-૧ કેસ એક્ટિવ છે.
હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. ૨૭ ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં ૩૬ કેસ ત્નદ્ગ.૧ વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી ૨૨ દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ ૧૪ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ ત્નદ્ગ.૧ વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં ૧ ડિસેમ્બર થી ૨૮ ડિસેમ્બર દરમિયાન કુલ ૮,૪૨૬ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૯૯ કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ જાેતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ ૦.૮૬ ટકા છે.
જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા ત્નદ્ગ.૧ વેરિયન્ટના કેસ વધુ છે તેમ મંત્રી શ્રી એ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ.
Recent Comments